Saturday, July 24, 2021

પ્રકરણ :16

બ્રહ્મરાક્ષસની પીડાને ધિક્કાર

ધો.આપણા આ બધા સંવાદથી એમ સાબિત થઈ છે કે બધા બ્રાહ્મણ પોતાના કૃત્રિમ ધર્મની આડે આપણી ભોળી સરકારની આંખમાં ધૂળ નાખે છે. આપ આ બ્રાહ્મણોના નકલી ધર્મનો ધિક્કાર કરીને આપણા અજ્ઞાની ભાઈબહેનોને કેમ જાગૃત કરતા નથી?

જો.મેં કાલે જ સાંજે આ વિશે એક પત્ર તૈયાર કરીને મારા એક સ્નેહીને આપ્યો છે. મેં એમને વિનંતી કરી છે કે એમણે આ પત્રમાં હ્રસ્વ દીર્ઘ વગેરે સર્વ ભૂલો સુધારીને એની એક એક કોપી કરીને બ્રાહ્મણ અને ખ્રિસ્તી  છાપાં પર અભિપ્રાય માટે પહોંચાડે. એ પત્રની નકલ આ પ્રમાણે.

શૂદ્રોએ બ્રહ્મરાક્ષસોની ગુલામીમાંથી કેવી રીતે છૂટવું. 

મૂળ બ્રાહ્મણોના(ઈરાની)પૂર્વજોએ આ દેશમાં મોટું બંડ કરીને આગળ જેમ જેમ તક મળી એમ એમ પોતાની સત્તાના નશામાં અનેક  મતલબી ગ્રંથ કરીને એ બધાંનો મજબૂત કોટ બાંધીને એની અંદર ગુલામોને પેઢી દર પેઢી પૂરી દીધા, એમને જાત જાતની પીડા આપીને લાંબો સમય લીલાલહેર જ કરી છે. જેવું અંગ્રેજ બહાદુરનું રાજ આ દેશમાં આવ્યું કે  દયાળુ યુરોપિયન અને અમેરિકન સત્પુરુષો એ આપણું દુઃખ જોયું. તેમણે આપણને કાયમની જેલમાં જોઈને એવો ઉપદેશ કર્યો કે " તમે અમારા જેવા જ માણસ છો, તમને અને અમને પેદા કરનાર ને પાલનપોષણ કરનાર એક જ છે.અને તમે પણ અમારી જેમ જ સર્વ અધિકારને પાત્ર છો, આ બ્રાહ્મણોના કૃત્રિમ અધિકારોને કેમ માનો છો?" વગેરે આવા જુદા જુદા પ્રકારનાં પવિત્ર સૂચન વિચારતાં મને મારા વાસ્તવિક અધિકાર સમજાયા છે. એ સાથે હું એ જેલના કૃત્રિમ કોટના બ્રહ્મએકપાટ દરવાજાને લાત મારીને બહાર નીકળ્યો છું અને આપણા પેદા કરનારનો આભાર માનું છું. હવે હું પરોપકારી યુરોપિયન ઉપદેશકોના આંગણામાં તંબૂ ઠોકીને થોડો વિસામો લેતા પહેલાં એવી પ્રતિજ્ઞા કરું છું  કે 

બ્રાહ્મણોએ જે મુખ્ય ગ્રંથને આધારે આપણને બ્રાહ્મણોના ગુલામ છીએ એમ કહી એમાં બીજા કેટલાક લેખ ઉમેર્યા  છે. એ સર્વ ગ્રંથોનો અને જે જે ગ્રંથો સાથે સંબંધ છે એ સર્વનો હું ધિક્કાર કરીશ. એ ગ્રંથોમાં ( ભલેને એ કોઈ પણ દેશ કે ધર્મના વિચાર કરનારા લોકોએ કર્યા હોય ) જેમાં તમામ મનુષ્યો એકસરખી રીતે ઉપભોગ કરી શકે એમ લખ્યું હોય , આવા ગ્રંથ રચનારને હું આપણા પેદા કરનારને નાતે  ભાઈ સમજીને , એ પ્રમાણે વર્તન કરીશ.

બીજું કે જે લોકો પોતાના એકતરફી  મતાભિમાનથી  કોઈને પણ નીચો ગણશે અને એવું આચરણ કરશે તથા બંનેને એવું વર્તન કરવા દેશે હું આપણા પેદા કરનારે આપેલા પવિત્ર અધિકારને લાંછન લગાવવા નહીં દઉં. 

ત્રીજું કે,જે દાસ (શૂદ્ર) ફક્ત પોતાના પેદા કરનારને માને છે અને નીતિ અનુસાર સ્વચ્છ ઉદ્યોગ કરવાનું નક્કી કરીને એ પ્રમાણે આચરણ કરે છે એવી મને ખાતરી થશે તો હું એમને મારા કુટુંબનાં ભાઈ સમજી એમની સાથે ખાનપાન વ્યવહાર કરીશ પછી ભલેને એ ગમે તે દેશનો હોય. 

આગળ ઉપર કોઈ સમયે મારા અજ્ઞાન શૂદ્ર બાંધવોને બ્રાહ્મણોની ગુલામીમાંથી મુક્ત થવાની ઈચ્છા થતાં જ તે મને એકવાર કૃપા કરીને પત્ર દ્વારા પોતાનું નામ જણાવશે તો એ મને મારા કામમાં મોટી હિંમત આપશે તો હું એમનો આભારી થઈશ.

જોતિ રાવ ગોવિંદરાવ ફૂલે

તા.5 ડિસેમ્બર, સને 1872

પૂના,જુના ગંજ નંબર 527.

 

ધો. આપે મોકલેલ જાહેરાતની એકંદરે સર્વ કલમો મને ગમી.ને હું પણ એ જ રીતે વરતીશ. આજ વરસોથી  બ્રાહ્મણોના  કૃત્રિમ  ને ત્રાસરૂપ કેદખાનામાંથી છૂટ્યો ને પરમાનંદ પામ્યો. ખરેખર હું આપનો ઋણી છું. સાર એ કે આપે બધું કહ્યું એ પરથી હિંદુ ધર્મના નકલી ત્ની મને ખાતરી થઈ ચૂકી છે પરંતુ જે એક પરમેશ્વરને આપણે માનીએ છીએ અને સર્વ જ્ઞાની લોકો માને છે, એ  પરમેશ્વર  જે બધું જુએ છે ને બધું જાણે છે ,  એને હજી આપણા શૂદ્ર અતિશૂદ્રનો હાલ  દેખાતો નથી   કે શું?

જો.એ વિશે આગળ કોઈ પ્રસંગે તને ખુલાસો કરીને  કહીશ તો તને ખાતરી થશે.

સમાપ્ત.

સદરહુ પત્રવિષયે જે તે છાપાં એ પ્રતિભાવ મળ્યો  એમની સમજદારીની યોગ્યતા વાચકો પર છોડી દઉં છું.

લોકકલ્યાણેચ્છુ
પૂના,શનિવાર, તારીખ 4 જાન્યુઆરી,1873
આપના પ્રસિદ્ધ, મહાજ્ઞાની, મહાવિચારક,મહાશોધક, ફિલોસોફર જોતીરાવ ગોવિંદરાવ ફૂલે એ એક મોટા ગૃહસ્થની ભલામણ સાથે એક  નકામો, આત્મશ્લાઘા કરતો અને બ્રાહ્મણોની નિંદા કરતો પત્ર અમને પાઠવ્યો છે.એને માટે અમારા છાપામાં જગા નથી.એ બદલ સદરહુ શ્રી.ફૂલે અમને માફ કરે.

શુભવર્તમાન દૈનિકને ચર્ચ સંબંધે વિવિધ સંગ્રહ
કોલ્હાપુર તા.1 ફેબ્રુઆરી સને 1873
પુનના વતની વર્તમાનપત્રે અમારા છાપામાં જગા નથી એમ કહી આ પત્ર અમને પાઠવવામાં આવ્યો છે.આ પત્ર બધે પ્રસિદ્ધ કરવો એવી શ્રી.જોતીરાવ ગોવિંદરાવ ફૂલેની ઈચ્છા હોઈ અમે એને આ છાપામાં જગા આપીએ છીએ.અમારા હિંદુ મિત્રે કેટલાક અંશે નિંદા થઈ છે એમ અભિપ્રાય આપ્યો છે.પણ એ સ્તુત્ય છે એવું અમને લાગે છે.કારણ વાસ્તવિક રીતે બ્રાહ્મણો માને છે એ પ્રમાણે જાતિ આધારિત ભેદભાવ ન હોવો જોઈએ  એવી પાકી ખાતરી થાય તો શ્રી.જોતી  કોઈની પણ સાથે અન્ન વ્યવહાર કરવા તૈયાર છે એમ ધૈર્યપૂર્વક જણાવે છે. આવી  છાતી ધરાવતા લોકો આ દેશમાં જલ્દી અને પુષ્કળ થાઓ.



પ્રકરણ:15

સરકારી કેળવણી ખાતું,મ્યુનિસિપાલિટી, દક્ષિણા પ્રાઈઝ કમિટી,બ્રાહ્મણ છાપાંની એકતા,શુદ્ર અછૂતો નાં બાળકો ને વાંચતાં લખતાં શીખવવું ન જોઈએ એ માટે બ્રાહ્મણોનું ષડયંત્ર
.
ધો.સરકારી બુનિયાદી શિક્ષણ વિભાગના કર્મચારી ગુલાબી બેઇમાની કરે છે એનો શો અર્થ?

જો. હમણાં જે ચોપડીને કારણે બ્રાહ્મણોના બકવાસ ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, સાહિત્યમાં જે બેઇમાન વાતો લખવામાં આવી છે, એનો ભેદ ખુલી જશે અને એમના પૂર્વજોનો ભંડાફોડ થશે, તેઓ બેઆબરૂ થશે  એ વાતે તેઓ ડરી ગયા છે.એમણે આપણી ભોળી સરકારને  ક્યારેક ક્યારેક એકલા મળી અને ક્યારેક ક્યારેક છાપાં દ્વારા જાતજાતની ગુલાબી મસલતો આપી એમના તાબામાં જે સરકારી શાળાઓ છે એ બધાં સરકારી બુનિયાદી શિક્ષણ વિભાગમાંથી આવી મહત્વની ચોપડી અભ્યાસક્રમમાંથી કઢાવી નાખી  ત્યારે હું શું કહું? પહેલાંના જમાનામાં કોઈ અજ્ઞાની અધિકારીઓએ ચાર ધર્મભ્રષ્ટ પાખંડી પુરોહિતોના આગ્રહથી આવો ઉપદેશ આપનાર ઉપદેશક બલીરાજાને શૂળીએ ચડાવી દીધો હતો.તો બ્રાહ્મણોનાં ધર્મશાસ્ત્રોની પોલ ખોલનારી ચોપડીને  શાળાના અભ્યાસક્રમમાંથી બહિષ્કૃત કરાવી દીધી તો એમાં નવાઈ શેની?

ધો.પણ તાત, આમાં સરકારનો શું વાંક છે એ જરા સમજાવોને.

જો.આપણે કેવીરીતે માની લઈએ કે સરકારનો કોઈ વાંક નથી? સરકારે જે તથાકથિત પ્રગતિશીલ બ્રાહ્મણોની દલીલ પર આ રીતનું સત્ય કહેનારી ચોપડી શાળા અભ્યાસક્રમમાંથી કાઢી નાખી, અને એ ચોપડીનો વિરોધ કરનારાઓની ચોપડી સરકારી કેળવણી ખાતાના અભ્યાસક્રમમાં દાખલ કરી, પછી એ જ લોકો શુદ્રોને શાળામાં શિક્ષક તરીકે નીમ્યા, શું આ યોગ્ય છે? આ વિશે વિચારતાં ખ્યાલ આવે છે કે કાલે જે વિરોધીઓએ આ પુસ્તક સરકારી કેળવણી ખાતામાંથી કઢાવ્યું, સરકારે એ જ લોકોને સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે નિયુક્ત  કરી એમને એ પવિત્ર પુસ્તક વિરુદ્ધ શુદ્રોને ઉપદેશ દેવાની તક કેમ આપી રહી છે? આપણી ભલીભોળી સરકારે  મા એ પવિત્ર સરકારી કેળવણી ખાતાના એ તમામ ભાગ લેનારાઓને  એમની ચોપડી સાથે બહાર તગેડી મૂકવા જોઈએ.જો એ શકય ન હોય તો આપણી સરકારે મહેરબાની કરીને આખો કેળવણી વિભાગ જ પૂરેપૂરો બંધ કરી દેવો જોઈએ જેથી એ લોકો ઘેર બેસી આરામ કરે અને કમ સે કમ આપણી શુદ્રો પર  જે કરવેરાનો બોજ પડે છે  એ ઓછો થઈ શકે. કેમકે કેળવણી વિભાગને એક મુખ્ય બ્રાહ્મણ કર્મચારીને દર વરસે ઓછામાં ઓછા સાત હજાર રૂપિયા પગાર આપવો પડે છે.હવે સુલ્તાની નથી રહી પણ આસમાની મહેર થાય ત્યારે કહો કે આટલી રકમ પેદા કરવા શુદ્રોને કેટલા પરિવારોને એક વરસ સુધી રાતદિવસ ખેતીમાં જોતરાયેલા રહેવું પડતું હશે? ઓછામાં ઓછા એક હજાર શુદ્ર પરિવારોને એમાં જોતરાયેલા રહેવું પડતું હશે.

બીજી વાત,આ પગારના પ્રમાણમાં શુદ્રોને કોઈ લાભ થાય છે? અરે, રોજ ચાર પૈસા કમાનાર શુદ્ર મજૂરોને ધોમ ધખતા તાપમાં સૂરજ ઉગે ત્યાંથી લઈને સૂરજ આથમે ત્યાં લગી સડક પર માટીના ટોપલા માથે ઊંચકવા પડેછે.એ બિચારાને ક્યાંય બહાર જવા ઘડીનીય નવરાશ મળતી નથી. અને બીજી બાજુ કામ કર્યા સિવાય, શારીરિક શ્રમ કર્યા સિવાય રોજના વીસ રૂપિયા પગાર લેતા બ્રાહ્મણ કર્મચારીને શાળામાં ખુલ્લી જગાએ ખુરશીમાં બેસવાનું કામ કરવું પડે છે.એ લોકો મ્યુનિસિપાલિટીના મહેમાન બની રોજ સવારસાંજ ગરમી ઓછી થાય એટલે બહાર ફરવા નીકળી પડે છે.એમનો બહાર ફરવા નીકળવાનો ઉદ્દેશ્ય પરિચિતોને હળવામળવા જવાનો હોય છે. એટલે એ લોકો સજીધજી નખરાં કરતા ઘોડાગાડીમાં બેસી શહેરના રસ્તા પર ઉંબર-ખળું જોતાં પોતાનો રોફ  છાંટયા  કરે છે.પરંતુ એમને આ રોફ છાંટવા સમય કેવીરીતે મળે છે? અરે, એમણે શહેરના લોકોને હજી સુધી  એ કહ્યું નથી કે ભણતરથી શું ફાયદો  થાય છે, પણ એમને હરવાફરવાની બહુ મજા આવે છે,બહુ ગૌરવ લાગે છે.પણ તોય મિશનરીઓનો મહિને દસ રૂપિયાનો પગારદાર ખ્રિસ્તી ઉપદેશક આ બ્રાહ્મણોથી હજાર દરજ્જે સારો છે. આ લોકો મિશનરી ઉપદેશકના પગની ધૂળ બરાબર પણ નથી.કેમકે જે શહેરમાં એ ખ્રિસ્તી મિશનરી ઉપદેશક રહે છે એ શહેરના નાનાં મોટાં સૌને એ ખબર હોય છે કે એ એક ધર્મઉપદેશક છે. પણ આ બ્રાહ્મણ શિક્ષક જે મકાનમાં રહે છે એની નીચેના મકાનમાં રહેનાર ભાડૂઆતને પણ ખબર નથી હોતી કે એ કેવો તીસમારખાં છે. અરે, બ્રાહ્મણ શિક્ષક પોતાના ઉપરી યુરોપિયન કર્મચારીની પાસે રોજ ઇધરઉધરનાં ગપ્પાં મારી મન ફાવે તેમ શાળામાં કલાક બે ક્લાક ભણાવે છે,અને એમને વરસે બે ચાર લેખિત રિપોર્ટ કરી દે એટલે એનું કામ પૂરું.આવાને જ ચાર ભણેલા ગણેલા લોકો પ્રામાણિક અને દેશભક્ત કહે છે. અરે, આ વેચાઉ બ્રાહ્મણ નોકરો આજ સુધી કેળવણી ખાતાના લાખો રૂપિયા ખાઈ ગયા છે.પણ સાચું કહું તો એમના હાથે ના કોઈ શૂદ્રને શિક્ષણ મળ્યું છે , ના કોઈ અછૂતને. તેઓ શુદ્ર અતિશુદ્રમાંથી એકેયને  મ્યુનિસિપાલિટીનો સભ્ય બનાવી નથી શક્યા. એટલે હવે તું જ વિચાર કે આ કેળવણી વિભાગમાં જેટલા બ્રાહ્મણ કર્મચારી છે એ બધા વફાદાર નોકરોને આપણા દેશના અજ્ઞાની અછૂતો પ્રત્યે કેટલી હમદર્દી છે. એટલું જ નહીં, આ દેશભક્તો મ્યુનિસિપાલિટીમાં મુખ્ય અધિકારી હોવા છતાં ગઈ સાલ જ્યારે પાણીનો દુકાળ પડ્યો ત્યારે અછૂતોને પીવાનું પાણી મળે એ માટે સરકારી વાવડીનું પાણી ભરવામાં  બિલકુલ મદદ ન કરી.એટલે અછૂતો મ્યુનિસિપાલિટીમાં સભ્ય થાય એ કેટલું જરૂરી છે એ તું વિચારી શકે છે.

ધો.આપનું કહેવું સો ટકા સાચું છે.એમાં બે મત નથી. પણ મેં સાંભળ્યું છે કે મ્યુનિસિપાલિટીમાં 
કેટલાય શુદ્ર સભ્યો એવા વિદ્વાન છે કે તેઓ પોતાનો મત આપવા' અરે ગોવિંદા' બોલનાર રમકડાંની જેમ પોતાનું માથું હલાવી હામાં હા મિલાવે છે. કેમ કે ત્યાં એક તો સહી કરી શકે એવા ય ઓછા છે ને એમાં થોડાક પૂજ્ય કહેવાતા લોકો.પછી શુદ્ર સભ્યોની કમિટીમાં ખુરશી પર બેસી માથું હલાવી સહી કરનારા અછૂતોમાં મળશે?

જો.એવા શુદ્ર સભ્યો કરતાં અનેક ઘણા સારા લખવા બોલનાર અછૂતો મળી રહેશે.પણ બ્રાહ્મણોના નકલી, સ્વાર્થી, પાખંડી ધર્મશાસ્ત્રોની કારણે બધા અછૂતોને અડવું પાપ ગણવામાં આવ્યું. એથી એ બિચારાને શુદ્ર સભ્યોની જેમ બધા લોકોમાં હળીમળીને પૈસાદાર થવાની તક ક્યાં મળે છે? એમને તો હજી પણ ગધેડા હાંકી પોતાનું અને પરિવારનું પેટ ભરવું પડે છે.

ધો.તાત, જાતિ પ્રમાણે જોઈએ તો મ્યુનિસિપાલિટીમાં ખાસ કઈ જાતિના સભ્યોની સંખ્યા વધારે છે?

જો. બ્રાહ્મણોની.

ધો. તાત, એટલે આ મ્યુનિસિપાલિટીમાં મજૂરી કરનારા અને ભંગીને બાદ કરતાં બ્રાહ્મણ કર્મચારીઓની સંખ્યા જ વધારે છે. એમાં પાણી ખાતામાં કામ કરનારા બ્રાહ્મણ કર્મચારીઓ છે.તેઓ ભયંકર ગરમીના દિવસોમાં પોતાની બ્રાહ્મણ જાતિનાં ઘરની ટાંકીઓમાં ફૂલ પાણી ભરી દેતા. અને એ પાણીનો ઉપયોગ આસપાસના બધા બ્રાહ્મણો કપડાં વાસણ ધોવામાં કરતા અને બહુ બધું પાણી એમ જ વહી જતું. પણ જ્યાં જ્યાં ગરીબ વસ્તી હતી, જે મહોલ્લામાં શુદ્રોની વસ્તી છે એ બધા મહોલ્લાની ટાંકીઓમાં બપોર પછી તો  પાણીનું ટીંપુંય ન મળતું,બપોરે રસ્તે જતા વટેમાર્ગુને  તરસ છીપાવવા પાણી મળવું મુશ્કેલ.પછી ત્યાંના લોકોને લૂગડાં ધોવા, બાલબચ્ચાં ને નાવાધોવા પાણી ક્યાંથી મળવાનું? એ ઉપરાંત બ્રાહ્મણ વસ્તીમાં નવી કેટલીય ટાંકી મૂકવામાં આવી. ત્યાં જૂના ગંજ વગેરે મહોલ્લાઓમાં લોકો વરસોથી માગણી કરતા હતા કે અમારા મહોલ્લામાં પાણીની ટાંકી બનાવો.પણ મ્યુનિસિપાલિટીએ એમની વાત પર, એમની બૂમો પર પણ ધ્યાન ન આપ્યું. બ્રાહ્મણ સભ્યોની સંખ્યા બહુ, એટલે એ બિચારા ગરીબોની વાત કોઈ સાંભળતું નહોતું.છેવટે ગઈ સાલ જ્યારે પાણીનો કાળ પડ્યો ત્યારે મીઠ ગંજના મહાર-માતંગોએ કાળા હોજને અડકીને ત્યાં પાણી ભરવાનું શરૂ કરી દીધું ત્યારે મ્યુનિસિપાલિટીને ભાન થયું ને એ લોકોની વાત સાંભળી. આ મ્યુનિસિપાલિટીએ એટલું બધું પાણી જેમ ખર્ચ કર્યું છે કે મ્યુનિસિપાલિટીના પ્રમુખની સમજ અને પદને એ શોભા નથી આપતું.

છોડો એ વાત. પરંતુ મ્યુનિસિપાલિટીમાં આવી  ગરબડ હોવા છતાં એ વિશે મરાઠી છાપાંના પત્રકારો સરકારને કેમ જાણ કરતા નથી?

જો.અરે,બધાં મરાઠીછાપાના તંત્રી બ્રાહ્મણ છે એટલે પોતાની જાતિના લોકો વિરુદ્ધ લખતાં એમના હાથ ચાલતા નથી. જ્યારે યુરોપિયન મુખ્ય તંત્રી હતા ત્યારે એ આ બ્રાહ્મણોની હોંશિયારી ચાલવા દેતા નહોતા. એ વખતે આ બધા બ્રાહ્મણોએ ભેળા થઈ એમની પર એવા આક્ષેપ કર્યા કે એમનું આમ કરવાથી પ્રજાનું આ રીતે નુકસાન થયું છે. આ રીતે બ્રાહ્મણોએ એમની વિરુદ્ધ એવી  ખોટી ખોટી અફવાઓ ફેલાવી કે ત્રાસી જઈને તેઓ મુખ્ય તંત્રી પદેથી રાજીનામું આપવા મજબૂર થઈ ગયા અને આગળ ઉપર એમણે મ્યુનિસિપાલિટીનું નામ લેવાનું પણ છોડી દીધું. પરંતુ આપણી દયાળુ સરકાર એ બધાં બ્રાહ્મણ છાપાંની વાત સાંભળી સાંભળી એ સમાચાર સાચા છે એમ માની કહી દેતી હતી કે  આ લેખમાં શુદ્રો અતિશુદ્રોની વાત વ્યક્ત થઈ ગઈ છે.પરંતુ એમ સમજવામાં આપણી ભલી ભોળી સરકારની બહુ મોટી ભૂલ છે. એમને એટલી પણ ખબર નથી કે  બધા બ્રાહ્મણ છાપાંવાળાની શુદ્રો અતિશુદ્રોની જનમ જનમમાં પણ મુલાકાત થતી નથી. એમાં મોટા ભાગના અછૂત એવા છે જેમને એ ખબર નથી કે છાપું કઈ બલાનું નામ છે, શિયાળ કે કૂતરું કે પછી વાંદરૂ? તો પછી આવા અપરિચિત અજાણ્યા અછૂતોના વિચારની આ બધા પવિત્ર છાપાંવાળાને કયાંથી અને કેવીરીતે જાણ થાય છે? એમણે સરકારની મજાક કરીને અભણ લોકોના દિલને આકર્ષવા જૂઠમૂઠ હમદર્દી બતાવી પોતાનું પેટ ભરવા  આ રીતે નવો રસ્તો શોધી કાઢ્યો છે. 

જો એમ ન કહીએ તો તમામ સરકારી ખાતાંમાં બ્રાહ્મણ જાતિના જ કર્મચારીઓ ભરતી થવાને લીધે શુદ્ર અતિશુદ્રનું ભયંકર નુકસાન થઈ રહ્યું છે.પરંતુ એને વિશે  ઝીણવટથી તપાસ કરવાની એમને ફુરસદ મળતી નથી.એ વાત આપણે સાચી માની શકીએ? ના. કેમકે સાત સમંદર પાર લંડન શહેરની રાણી સરકારના વડા પ્રધાન પોતાના સપનામાં હિંદુસ્તાન વિશે શું શું  વાતો કરે છે એ વિશે છાપાંમાં નાનામોટા સમાચાર આવ્યા કરે છે.મારો કહેવાનો અર્થ એ છે કે આ બધું કહેવા એમને ક્યાં ફુરસદ મળે છે? છોડો એ વાત. પણ જો કોઈ ખ્રિસ્તી છાપાવાળાએ લખ્યું કે મ્યુનિસિપાલિટીમાં ગરીબોને દાદ નથી મળતી, એમની કોઈ સુનવાઈ થતી નથી. આવા સમાચાર છાપાંમાં છપાયા પછી બધાં મરાઠી  છાપાંની આ રીતના સમાચાર સાર રૂપે અંગ્રેજીમાં અનુવાદ કરી સરકારને બતાવવાનું કામ મ્યુનિસિપાલિટીના જ એક સભ્યને સોંપવામાં આવ્યું છે. પરંતુ એ લોકો આવો રિપોર્ટ.મ્યુનિસિપાલિટીમાં ખભે ખભા મીલાવી બેસનાર પોતાના જાતિભાઈઓની 
સાડાબારી રાખ્યા સિવાય પોતાની જાતિનાં લોકો વિરુદ્ધ સરકાર સામે મૂકી શકશે?

ધો. તાત,આ ચોતરફ બધાં ક્ષેત્રોમાં બ્રાહ્મણોનું બહુ વર્ચસ્વ હોવાને લીધે બાકીની બધી જાતિઓનું નુકસાન થઈ રહ્યું છે. એટલે આપ એ સંબંધે  એક નાનકડી ચોપડી લખીને દક્ષિણા પ્રાઈઝ કમિટીને મોકલી આપો.એટલે આ પુસ્તકથી સરકારની બંધ આંખો ઉઘડશે.

જો.બ્રાહ્મણ પોતાના સ્વાર્થ માટે ધર્મના ગપગોળાથી અજ્ઞાની શુદ્રોને કઈ કઈ રીતે બહેકાવી  ફોસલાવી ખાય પીવે છે અને ખ્રિસ્તી મિશનરી પોતાના નિસ્વાર્થ ધર્મની મદદથી અજ્ઞાની શુદ્રોને સાચું જ્ઞાન આપીને  એમને કઈ રીતે સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે વગેરે તમામ બાબતો વિશે મેં એક નાનકડું નાટક લખ્યું છે.  મેં  આ નાટક સને 1855માં દક્ષિણા પ્રાઈઝ કમિટીને મોકલ્યું હતું. પરંતુ ત્યાં પણ આવા બ્રાહ્મણ સભ્યોની જીદથી યુરોપિયન સભ્યોનું કંઈ ન ચાલ્યું . એ કમિટીએ મારું નાટક પસંદ ન કર્યું. અરે, આ દક્ષિણા પ્રાઈઝ કમિટી પણ મ્યુનિસિપાલિટીની નાની બહેન છે એમ કહેવામાં મને કોઈ વાંધો નથી. દક્ષિણા પ્રાઈઝ કમિટીએ તો શુદ્રોને પ્રેરણા આપવી જોઈતી હતી.શુદ્રોને લખવાની પ્રેરણા મળે એ માટે એમને કેટલી મદદ કરી એ શોધવા દીવો લઈને નીકળો તોય ન જડે.છેવટ મેં એ ચોપડી પાછી ખેંચી લીધી.પછી થોડાં વરસ પછી મેં બીજી નાનકડી ચોપડી મેં બ્રાહ્મણોની ચાલાકી વિશે લખી હતી તે મેં મારા પૈસે છપાવી પ્રસિદ્ધ કરી હતી.એ વેળા પૂનામાં મારા એક મિત્રએ અધિકારીઓને એ પુસ્તક ખરીદવા જાહેરાત સાથે મોકલાવી.પરંતુ એમાંથી એક પણ અધિકારીએ બ્રાહ્મણોની બીકે એ પુસ્તક ખરીદી પોતાના નામે કોઈ દોષ લાગવા દીધો નહીં.પોતે બ્રાહ્મણોના વાંકમાં આવે નહીં એમ કર્યું.

ધો.તાત, સાચું કહું તો આપને  આઘુંપાછું કરવાની આદત નથી એટલે આપની ચોપડી વેચાતી નથી.
જો.અરે, બાપ! સારું કામ કરતાં ખરાબ ઈલાજ શોધવા ન જોઈએ.નહીં તો સારા કામ પર જ ધબ્બો લાગી જાય. એમણે મારી ચોપડી ન ખરીદી એટલે મને બહુ બારે નુકસાન થયું? ના.પરંતુ હવે પછી હું આવા લોકોને કોઈ અરજી કરવાનું પસંદ ન કરું. આપણે આપણને પેદા કરનાર પર આધાર રાખવો જોઈએ.એ હું શીખ્યો છું એટલે હું એમનો ત્રણ વાર આભાર માનું છું.

ધો.તાત, આપે જ્યારે બ્રાહ્મણ છોકરીઓ માટે શાળા ખોલી ત્યારે એ સમયે સરકારે આપનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું .પછી આ રીતે આપે અછૂતો માટે શાળાની સ્થાપના કરી એ માટે બ્રાહ્મણોની મદદ લીધી હતી. એ બધી શાળાઓમાં ભણતર તો ચાલુ થઈ ગયું પણ વચ્ચે જ એ બંધ થઈ ગઈ. થોડાં વરસ પછી તમે યુરોપિયન લોકોના ઘેર આવવું જવું  એકદમ બંધ જ કરી દીધું. એનું શું કારણ?

જો.બ્રાહ્મણ છોકરીઓ માટે શાળા ખોલી તેથી સરકાર બહુ ખુશ થઈ, મને એક શાલ ભેટ આપી એ સાચી વાત. મને જ્યારે અછૂત છોકરા છોકરીઓ માટે શાળા ખોલવાની જરૂર લાગી તો મેં એ કામ માટે બ્રાહ્મણોને સભ્ય બનાવ્યા અને એ બધી શાળાઓ બ્રાહ્મણોના હાથમાં સોંપી દીધી. મેં જ્યારે અછૂતોનાં છોકરા છોકરીઓ માટે શાળા શરૂ કરી ત્યારે બધા યુરોપિયન ગૃહસ્થોમાં રેવન્યુ કમિશ્નર રીવ્ઝ સાહેબે જે આર્થિક મદદ કરી છે એ હું કદી ભૂલી નહીં શકું. એ ઉદાર ગૃહસ્થે મને માત્ર આર્થિક મદદ કરી એટલું જ નહીં પોતાનો અગત્યનો ધંધો સંભાળતાં સંભાળતાં ઘણી વાર અછૂત શાળામાં આવીને પૂછપરછ કરતા કે વિદ્યાર્થીઓએ વાંચવા લખવામાં કેટલી પ્રગતિ કરી છે. એ રીતે વિદ્યાર્થીઓને ભણવા પ્રેરણા આપવા બહુ કોશિશ કરતા હતા. આ રીતે એમના ઉપકાર અછૂત વિદ્યાર્થીઓની રગ રગમાં સમાઈ ગયા છે. એમના ઉપકારોનો બદલો એ પોતાની ચામડીના જોડા સિવડાવી આપે તો પણ ચૂકવી ન શકે. આ જ રીતે બીજા યુરોપિયન ગૃહસ્થઓએ મને ઘણી મદદ કરી છે.એટલે હું એમનો આભારી છું.એ સમયે મને એ કામમાં બ્રાહ્મણ સભ્યો લેવાની જરૂર લાગી.એની અંદરની વાત હું કયારેક બતાવીશ. પરંતુ જ્યારે મેં શાળાઓમાં બ્રાહ્મણોના  પૂર્વજોએ બનાવટી શાસ્ત્રોમાં લખેલી  છેતરપિંડી ભરેલી વાતો એ વિદ્યાર્થીઓને વંચાવવા સમજાવવા શરૂ કર્યું  ત્યારે એ બ્રાહ્મણો અને મારી   વચ્ચે રુક્ષતા વધતી ગઈ. એમનું કહેવું એવું થવા લાગ્યું કે અછૂત બાળકોને બિલકુલ વાંચતાં લખતાં શીખવવું ન જોઈએ. પરંતુ જો વાંચવા લખવાનું શીખવવું જરૂરી લાગે તો એમને ખાલી  અક્ષરજ્ઞાન આપવું.એનાથી વધારે કંઈ નહીં. પરંતુ મારું કહેવું એ હતું કે એ અછૂત બાળકોને ભણાવી વાંચતા લખતાં શીખવી એમનામાં એવી ક્ષમતા પેદા કરવી જેથી તેઓ પોતાનું હિત અહિત શેમાં છે એ પોતે સમજી શકે. હવે અછૂતોને વાંચતાં લખતાં ન શીખવવું એમ કહેવામાં એમનો શો સ્વાર્થ હશે?
એમના મનની વાત કળવી સહેલું નથી.પણ એવું શક્ય છે કે આ લોકો ભણી ગણીને હોંશિયાર થશે એવું એમને લાગતું હશે.એમને એ પણ લાગતું હશે કે એમને ભણવાગણવાની તક મળી, સાચું જ્ઞાન મળ્યું અને એમને સાચું શું અને ખોટું શું એ સમજ પડી ગઈ તો અમારો વિરોધ કરશે અને સરકારને વફાદાર રહી અમારા પૂર્વજોએ એમના પૂર્વજો પર જે જુલમ ગુજાર્યા છે, જે ત્રાસ ગુજાર્યો છે, એ ઇતિહાસના પાને વાંચીને તેઓ અમારો પૂરેપૂરો વિરોધ કરશે." આ એમની લાગણી હોઈ શકે. આ રીતે જ્યારે મારા અને એમના વિચારોમાં ફરક પડવા લાગ્યો ત્યારે મેં એ બ્રાહ્મણ પંડિતોના નકલી સ્વાર્થી સ્વરૂપનો ખ્યાલ આવી ગયો. અને બંને સંસ્થાઓમાંથી નીકળી ગયો. એટલામાં બ્રાહ્મણ પાંડેનો બળવો શરૂ થઈ ગયો.ત્યારથી બધા યુરોપિયન સભ્ય લોકો મારી સાથે પહેલાંની જેમ  દિલ ખોલીને વાત નથી કરતા, બલ્કે મને જોતાં જ એમના ચહેરા પર ગમગીની છવાઈ જાય છે.ત્યારથી મેં પણ એમને ઘેર આવવા જવાનું બંધ કરી દીધું.

ધો.તાત, બ્રાહ્મણ પાંડેને લીધે આ યુરોપિયન લોકોએ આપના જેવા નિર્દોષ લોકોની અવગણના કરી છે.અને આપણને જોતાં જ એમના પર ગમગીની છવાઈ જાય છે.આ એમની ઉદારવાદી દ્રષ્ટિ ને બુદ્ધિને શોભા નથી આપતું.
એ જ રીતે આપણે બ્રાહ્મણ વિધવા સ્ત્રીઓના ગર્ભપાત જેવા જઘન્ય ગુનેગાર કૃત્ય ન કરવાં જોઈએ.એ વિધવા ગર્ભવતી સ્ત્રીઓને ગુપ્ત પ્રસૂતિ કરાવવી જોઈએ.એને માટે આપે આપના ઘેર જ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે.અને એ કામ માટે સરકાર તરફથી કોઈ પણ જાતની મદદ માંગી નથી.એ કામમાં નામના જ બ્રાહ્મણ સભ્યો પાસેથી કંઈ લીધા વિના પોતાના ખર્ચેથી જ આ કામ ચલાવ્યું છે.

જો.આપણી સરકાર વિશે તો એટલું જ કહી શકીએ કે જ્યાં દમ ત્યાં હમ.અછૂતોને અડકવાનો અધિકાર નથી એટલે સ્વાભાવિક રીતે એમના કામધંધાનાં બારણાં બંધ થઈ જાય છે અને એટલે એમણે ચોરી લૂંટફાટ વગેરે ગેરકાયદેસર કામ કરવાં પડે છે. પરંતુ એમણે આવાં ચોરી, લૂંટફાટ વગેરે કામ ન કરવાં જોઈએ. આપણી સરકારે નજીકની પોલીસ ચોકીમાં હાજરી લગાવવાની પ્રથા શરૂ કરી છે,એ સારું કામ કર્યું છે.પરંતુ બ્રાહ્મણોની અનાથ,નિરાધાર વિધવાઓને બીજું લગ્ન કરવાની મનાઈ હોવાને લીધે એ  વ્યભિચાર કરવા મજબૂર થવું પડે છે. એનું પરિણામ ક્યારેક ક્યારેક તો એવું આવે છે કે  એમને ગર્ભહત્યા અને નવજાત શિશુની હત્યા કરવા મજબૂર થવું પડે છે.આ બધું આપણી સરકાર ઉઘાડી આંખે જોવે છે.તો પણ માતંગ રામોશીઓની જેમ એમની ઉપર નજર નથી રાખી રહી, એ કેવડી મોટી નવાઈની વાત છે.શું આ અન્યાય નથી? આપણી સરકારને ગર્ભપાત અને નવજાત શિશુ હત્યા કરનાર વિધવાઓ કરતાં ચોરી લૂંટફાટ કરનાર  માતંગ મહાર લોકો વધારે દોષિત લાગે છે. બીજી વાત એ કે બ્રાહ્મણોની કામ કમ અને ટપટપ વધારે રહે છે એટલે સમજદાર થઈને નાની અણસમજુ વિધવા બેનને ટકો કરનાર હજામના હાઘને રોકવા પોતાનો હાથ આગળ લંબાવી નથી શકતા એવા કાયર લોકોને આ રોકવા સભ્ય બનાવી દઈએ તો એનો શું ફાયદો?

ધો.તાત, કાંઈ વાંધો નહીં. પર તું આપે અગાઉ કહ્યું છે કે સરકારી શિક્ષણખાતામાં અવ્યવસ્થા છે, એનો શો અર્થ છે?

જો.આ સરકારી કેળવણી વગેરે વિભાગોમાં જે દરેક પ્રકારની અવ્યવસ્થા છે એ વિશે જો લખીએ તો એક અલગ જ ચોપડી થઈ જાય.એટલે એ ડરથી ઉદાહરણ તરીકે એક બે વાતો અહીં લઈ રહ્યો છું.પહેલી વાત તો એ કે શુદ્ર અને અછૂત બાળકો ની શાળાઓ માટે શિક્ષક તૈયાર કરવામાં કોઈને રસ નથી, એમને કામમાં પૂરી બેદરકારી છે.

ધો.તાત એવું કઈ રીતે કહી શકાય? સરકારે તો તમામ જાતિઓ માટે બાળકો ભણાવવા શિક્ષકને તાલીમ આપવા  એક અલગ તાલીમશાળા ખોલી છે.સરકારના મનમાં કોઈ ભેદભાવ જોવા નથી મળતો.

જો. જો તું એમ કહેતો હોય તો એ કહે કેટલા આજ સુધીમાં એ તાલીમ પામેલા શિક્ષકોએ કેટલાં બાળકોને વાંચવું લખવું શીખવાડ્યું છે?અરે, તું   શું  ઊંધું ઘાલે છે?

ધો.તાત, બધા બ્રાહ્મણ એવું કહે છે કે અછૂતોનાં બાળકોને શાળામાં દાખલ કરશો તો ભારતમાં મોટું ધીંગાણું થઈ જશે,એટલે સરકાર બીવાય છે.

જો.અરે, સરકાર એના લશ્કરમાં બધી જાતિના લોકોને ભરતી કરે છે, તો એ લોકો હિન્દુસ્તાનમાં ધીંગાણું કેમ કરતા નથી? આ બધી સરકારની જ બેદરકારી છે. કેમકે બધી જાતિના લોકોને લશ્કરમાં ભરતી કરતી વેળા સરકાર પોતે એ ભરતી કરી લે છે અને શિક્ષક તાલીમનું કામ એ ફાલતુ કોઈ હરામી લલ્લુપંજુને સોંપે છે. જો  એ આ કામમાં શું કરવું એની જરા પણ ગતાગમ હોત તો એ અછૂતોનાં બાળકોને શિક્ષક તરીકે તૈયાર કરવામાં કોઈ આનાકાની ન કરત.એ રીતે એ શાળાઓમાં બ્રાહ્મણોના બાળકોની  આડેધડ ભરતી ન થાત.

ધો. તાત, તો પછી  સરકારે આ માટે શું કરવું જોઈએ?

જો. આનો એક જ ઉપાય છે.સરકારે મહેરબાની કરીને આ કામ યુરોપિયન કલેક્ટરો ને સોંપી દેવું જોઈએ. ત્યારે જ કેળવણી પ્રચારનું કામ સફળ થશે , નહીં તો નહીં. કેમકે શુદ્ર અતિશુદ્ર સાથે એમને નિકટનો સંબંધ હોઈ બ્રાહ્મણ કર્મચારીઓ પર કોઈ પણ પ્રકારનો  ભરોસો કરવો જોઈએ નહીં. એમણે  ગામેગામ જઈ એ સમજાવવું જોઈએ કે કુલકર્ણીની મદદ વગર ગામનાં બાળકો અને મોટેરાઓને વાંચવા લખવાનું શીખવાથી શું શું ફાયદો થાય છે. જો તેઓ આમ સમજાવશે તો ગામના લોકો પોતાનાં હોંશિયાર બાળકોને વાંચવા લખવાનું શીખવવા પોતાનાં બાળકોને ખુશી ખુશી કલેકટરને સોંપી દેશે. આ રીતે યુરોપિયન કલેકટરના કહેવાથી શિક્ષણના પ્રસારનું કામ જેટલું સફળ થશે એટલું આ રીતે અણસમજુ બ્રાહ્મણ કર્મચારીઓથી સફળ થયું નથી અને થશે પણ નહીં એમ હું ધારું છું. આ વિશે પેલી કહેવત છે ને કે 'જેનું કામ તે કરે, બીજા કરે તો ગોથા ખાય'.એટલે હવે તું જ વિચાર કર,શુદ્ર અને અતિશુદ્ર ભણેલા ગણેલા લોકોની આજે કેટલી જરૂર છે. કેમકે જ્યારે આ જાતિના લોકો ભણી ગણી તૈયાર થશે ત્યારે એમને પોતાની જાતિનું અભિમાન થશે અને તેઓ પોતપોતાની જાતિનાં બાળકોને વાંચતા લખતાં શીખવશે, એમને એ માટે પ્રેરણા આપશે. એ લોકો પોતપોતાની જાતિનાં બાળકોને ઢોર ચરાવવા લાકડી લઈ ઢોર પછવાડે જવાને બદલે શિક્ષણ માટે એટલો પ્રેમ પેદા કરશે કે જ્યારે એ બાળકો મોટાં થશે ત્યારે તેઓ પોતાના બાળકોમાંથી વારાફરતી એકને ખેતરમાં ઢોર સાંભળવા રાખશે અને બાકીનાં બધાં ગામના ચોગાનમાં ગિલ્લીદંડા નહીં રમે.એમને ગામમાં લઈ જઈ શિક્ષક પાસે બેસાડી વાંચતાં લખતાં શીખવવામાં કંઇ કસર નહીં રાખે. અમેરિકામાં અડધા કરતાં વધારે લોકોએ પોતાના ગોરા વર્ણના બંધુઓ વિરુદ્ધ સતત ત્રણ વરસ લડાઈ કરી પોતાના હાથમાં આવેલા ગુલામોને મુક્ત કરી દીધા હતા. ત્યારે આવા મૂર્ખ બ્રાહ્મણો શાળાઓમાં શુદ્ર અતિશૂદ્રને સાચું જ્ઞાન ભણાવી એમને પોતાની ગુલામીમાંથી મુક્ત થવાની પ્રેરણા કેવીરીતે આપી  શકશે? અરે,એક બ્રાહ્મણ પ્રોફેસરના પગારમાંથી 6 શુદ્ર કે 9 અછૂત પ્રોફેસર ઓછા પગારે મળવાની પૂરી શક્યતા છે, તોય આપણી સરકાર તો બ્રાહ્મણોની પાછળ પાછળ જ ચાલે છે અને પોતાના અજ્ઞાની ભાઈઓની કમાણીના પૈસા આ રીતે પાણીની જેમ વાપરી રહી છે. એટલે જો આપણે સરકારને ગાઢ ઊંઘમાંથી જગાડીશું નહીં તો આ અનર્થનો દોષ આપણે માથે આવશે. આ રીતે પાટીલોની હવેલીઓમાં રસોડામાં કેટલા અછૂત બાળકો કામ કરે છે એ મને કહે.

ધો.તાત, જ્યાં શુદ્રોનાં બાળકોની સંભાળ લેનાર કોઈ નથી ત્યાં અતિશુદ્રની તો શું વાત કરવી.આમ કેમ છે? 

જો.તું જ કહે છે ને કે સરકાર ભેદભાવ નથી રાખતી, તો પછી આ જે થઈ રહ્યું છે એનું શું કારણ?
ધો.એનું કારણ તો અહીં બધે બ્રાહ્મણ કર્મચારીઓ છે એ જ લાગે છે.આપે એક દિવસ આ વાત પ્રત્યક્ષ બતાવી હતી. જે બ્રાહ્મણ પહેલાં આપણે ત્યાં કામ કરતો હતો એ અછૂતોની શાળામાં આવી કોઈ પ્રકારની આભડછેટ રાખતો નહોતો અને શાળામાં બધા વિદ્યાર્થીઓને વાંચતાં લખતાં શીખવતો હતો. પરંતુ એ જ બ્રાહ્મણ જ્યારે રસોઈયો બન્યો ત્યારે એ એટલી આભડછેટ રાખતો કે ગરમીના દિવસોમાં બિચારા એક ગરીબ સોનીએ ટાંકીમાંથી પાણી લઈ તરસ છીપાવી હતી એમાં તો એને  ચાર રસ્તા સુધી  ખેંચી ગયો હતો. 

જો.અરે, આ મહામૂર્ખ બ્રાહ્મણોએ લખેલાં ગીત આજે નવા સમાજોમાં ગાવામાં આવે છે અને એમણે હજી સુધી એમનો સ્વાર્થી ધર્મ મુજબ પથ્થરના ભગવાનને પૂજવાનું મૂકી દીધું નથી.એ જ બ્રાહ્મણ, પોતાના ઘરની ટાંકીને શુદ્રો અડકે નહીં એટલા માટે  ઢાંકીને કાશી જાય છે અને ત્યાં સ્થિર થવાની વાત કરે છે. પણ અમારી નિષ્પક્ષ મ્યુનિસિપાલિટીમાં બ્રાહ્મણ સભ્યોની સંખ્યા સૌથી વધારે છે. એટલે એમણે ટાંકીની આસપાસનો ઘેરો એવો જ રાખ્યો છે.પરંતુ એમણે કશું વિચાર્યા વગર જ દરજીની ટાંકીના ઘેરાને તોડી પડ્યો.ત્યાંના ઘણા બ્રાહ્મણોએ એ ટાંકીના ઉપરના ભાગમાં અને એની નજીક જ બીજી એક નાની ટાંકી બનાવી એનું પાણી ન્હાવા ધોવા, પોતાનાં પાપ ધોવા મન ફાવે તેમ વાપરે છે.બ્રાહ્મણનો જનમ લઈ આવા પાખંડ  ન કરે તો એમના બ્રાહ્મણ હોવાની શી કિંમત?


પ્રકરણ :14

યુરોપીયન કર્મચારીઓનું નિષ્ક્રિય થવું, ખોતનું વર્ચસ્વ, 
મામલતદાર, કલેકટર,રેવન્યુ,જજ અને ઇજનેરી વિભાગના બ્રાહ્મણ કર્મચારીઓ વિશે.

ધો.તાત,એનો અર્થ એ કે બ્રાહ્મણો મામલતદાર વગેરે હોવાથી અજ્ઞાની શુદ્રોને નુક્સાન પહોંચાડે છે?

જો.આજ લગી જે બ્રાહ્મણ મામલતદાર થયા છે એમાંથી ઘણા મામલતદાર એમનાં ખરાબ કરતૂતને કારણે સરકારની નજરમાં ગુનેગાર પૂરવાર થયા છે અને સજાને પાત્ર થયા છે.એ મામલતદાર કામકાજ કરતી વખતે એટલો દુષ્ટ વ્યવહાર કરતા અને ગરીબ લોકો પર એટલો જુલમ ગુજારતા કે એનું વર્ણન કરીએ તો એ કહાણીઓની એક  જુદી ચોપડી લખવી પડે.અરે, આ પૂના શહેરમાં બ્રાહ્મણ મામલતદાર કુલકર્ણી પાસેથી યોગ્યતા લખાવી લાવીએ નહીં ત્યાં સુધી મોટા મોટા શાહુકારોની અરજી સ્વીકારતા નહોતા.પછી લોકો યોગ્યતાનું પ્રમાણપત્ર લેવા લોકો ચક્કર મારતા હશે  કે નહીં? એ જ રીતે મામલતદાર  કુલકર્ણીના અભિપ્રાય વગર શહેરની મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કોઈ મકાનમાલિકને એના જૂના મકાનની જગાએ નવું મકાન બનાવવા પરવાનગી આપતા નથી, એ કુલકર્ણી પાસે શહેરનો નકશો તો હોય છે તો પણ નવી ખરીદી કરનારાનાં નામ ઉમેરી દર વરસે એની એક નકલ મામલતદારની ઓફિસમાં રાખવાનો કોઈ રિવાજ જ નથી તો એ જગા વિશે કુલકર્ણી નો અભિપ્રાય જરૂરી અને સાચો છે એ કેમ માનવું? આ બધી વાતોથી તો એવી શંકા થાય કે બ્રાહ્મણ મામલતદાર પોતાની જાતિનાં કલમકસાઈઓના રોટલા શેકે છે . ત્યારે ગામમા એમનો સખત જુલમ રહેતો હશે.જો આપણે આ વાત સાચી ન માનીએ તો ગામડાંનાં અજ્ઞાની, અભણ શુદ્રોનાં ટોળાં પોતાની બગલમાં કપડાં દબાવી બ્રાહ્મણ કર્મચારીઓનાં નામ પોકારતાં આમતેમ ફરતાં રહે છે એ શું ખોટું છે? આ લોકોમાંથી કેટલાક કહેશે "બ્રાહ્મણ કુલકર્ણીને કારણે જ બ્રાહ્મણ મામલતદારે મારી અરજી સમયસર સ્વીકારી નહીં.એટલે કેસના સામેવાળાએ મારા પક્ષના બધા સાક્ષી ફોડી નાખ્યા અને મારે જામીન આપવા પડ્યા." તો કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે મારી અરજી લીધી અને ઘણો સમય દબાવી રાખી,સામેવાળાની અરજી કાલે જ આવી તે લીધી અને મારું ચાલુ કામ અટકાવી દીધું ને મને ભિખારી બનાવી દીધો." કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે હું બોલ્યો એવુ લખ્યું જ નહીં અને પછી એ જુબાનીથી મારો ઝગડો એવો બરબાદ કરી દીધો કે હું પાગલ થઈ જઈશ." કોઈ કહે છે, " મારા સામેવાળાએ બ્રાહ્મણ મામલતદારની સલાહથી મારું બરાબર ચાલતું કામ બંધ કરાવ્યું અને મારા ખેતરમાં હળ જોતરતાં એના હાથમાં મારી અરજી આપી તો એ ચાર પાંચ ડગલાં પાછળ હટી ગયો. હું એની સામે બે હાથ જોડી દુઃખી મને થરથર ધરુજતો ઊભો રહ્યો. થોડી જ વારમાં એ દુષ્ટએ મને પગથી માથા સુધી જોઈ મારી અરજી ફટ દઈને ફેંકી દીધી એમ કહીને કે ' મેં કોર્ટનું અપમાન કર્યું છે.' એણે મને જ સજા કરી.પણ દંડની રકમ ભરવાની મારી તાકાત નહોતી એટલે મારે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું.એટલામાં મેં વાવવા તૈયાર કરેલા ખેતરમાં સામેવાળાએ વાવણી કરી દીધી, ખેતર બથાવી પાડ્યું. મેં કલેકટર સાહેબને બે ત્રણ અરજી આપી, દરેક વાતે જાણ કરી.પણ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂને ખબર નહીં ક્યાંક દબાવીને મૂકી દીધી.એનું શું કરવું?" કોઈ કહે છે, "મારી અરજી બ્રાહ્મણ કારકૂને કલેકટરને વાંચી સંભળાવી,એણે અરજીના મુખ્ય મુદ્દા હટાવી દીધા. બ્રાહ્મણ કારકૂને મામલતદારે જે લખી મોકલ્યું હતું એ જૈસે થે એણે પણ લખી દીધું." કોઈ કહે છે, "મારી અરજી પર કલેકટરે જે મૌખિક ઓર્ડર કર્યો એનાથી ઉલટો જ લેખિત ઓર્ડર કર્યો, કલેકટર આગળ એમણે જે કહ્યું હતું એમ જ ઓર્ડરમાં લખેલું છે એમ વાંચી સંભળાવ્યું., એ કાગળ પર કલેકટરની સહી લઇ લીધી ,જે કાગળ મને મામલતદાર દ્વારા મળ્યો.એ જોઈ હું દીવાલે માથું પછાડવા લાગ્યો.મેં મનમાં મેં મનમાં કહ્યું,બ્રાહ્મણ કર્મચારી તમે તમારું ધાર્યું કર્યું." કોઈ કહે છે,"જ્યારે કલેકટર સાહેબ પાસે મારી કોઈ સુનાવણી ન થઈ એટલે મેં રેવન્યુ સાહેબને બે ત્રણ અરજી મોકલી.પણ મારી એ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂનોએ કલેકટરને જ પાછી  અભિપ્રાય માટે મોકલી.કલેકટરના બ્રાહ્મણ કર્મચારીએ મારા કાગળ વિશે  ઘુમાવી ફિરાવી કલેકટરને  કહ્યું કે આ તો બહુ ફરિયાદ કર્યા કરે છે.એમણે અરજીની પાછળ કલેક્ટરનો અભિપ્રાય લખી રેવન્યુ સાહેબને ખોટી જાણકારી આપી." હવે તું જ કહે આવું કરનારાનું આપણે શું કરવું જોઈએ?
કોઈ કહે છે,"મારો કેસ શરૂ થતાં જ વકીલ વચ્ચેક બોલ્યો તો જજ કહે , "ચૂપ! વચ્ચે ન બોલો.' એમણે પોતેજ મારા કાગળ વાંચ્યા પણ કાગળનું એ બિચારા શુ કરે કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધાં બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાંના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નાનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દા'ડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં  પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે."  આમ બ્રાહ્મણો દ્વારા કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધાં બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાં ના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દાડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં  પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે." આમ બ્રાહ્મણો દ્વારા જે ત્રાસ ભોગવવો પડે છે એ વિશે મારો ભાઈ ઘેર આવીને વાત કરે છે અને રોવે છે."
એ કહે છે," તાત,અમે શું કરીએ? આ બ્રાહ્મણો અઢારે વરણના ગુરુ છે, એ લોકો પોતાને બધાના ગુરુ ગણે છે.એટલે એ જેવું પણ વર્તન કરે, શુદ્રોએ એક અક્ષર બોલવો નહીં. શુદ્રોને કોઈ ટીકા ટીપ્પણી કરવાનો અધિકાર નથી.એવું એમનાં ધર્મશાસ્ત્રો કહે  છે. ધર્મશાસ્ત્રો તો જે  કહે તે પણ અમારી પાસે આ રોગનો કોઈ ઈલાજ નથી. જો હું અંગ્રેજી બોલતાં શીખી જાઉં તો  બ્રાહ્મણોનાં કારસ્તાન, મીઠું મીઠું બોલીને ફસાવવું વગેરે બધું અંગ્રેજ સાહેબ આગળ રજૂઆત કહી દઉં અને એ લોકોને મજા ચખાડું.
એ સિવાય એન્જીનીયરીંગ વિભાગના બધા કર્મચારીઓની લુચ્ચાઈ વિશે કોન્ટ્રાકટર એટલું બધું કહે છે કે એની પર તો એક અલગ ચોપડી જ લખી શકાય.એટલે એ વાત અહીં પૂરી કરું છું.
આનો અર્થ એ કે ઉપર લખેલી બધી દલીલો જો તમને સાચી લાગે તો એ વિશે ગંભીર વિચાર કરી એનું નિરાકરણ કરવું જોઈએ.એ તમામ કુરીતિઓને સામાજિક જીવનમાંથી જડમૂળમાંથી કાઢવી જોઈએ. સરકારનો એ જ ધર્મ છે. લઇ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા યુરોપીયન કર્મચારીઓએ સરકારના દરબારમાં ગામેગામની હકીકત બતાવવાની જરૂર, ધર્મ અને જાતિના અહંકાર વગેરે વિશે.

ધોડીબા

 

તાત, જો આમ બધા સરકારી ખાતાંમાં બ્રાહ્મણ કર્મચારીઓના વર્ચસ્વને લીધે થઇ રહ્યું હોય તો યુરોપીયન કલેકટર બેઠા બેઠા શું કરે છે?એ બ્રાહ્મણોની લુચ્ચાઈ વિશે સરકારને રીપોર્ટ એમ આપતા નથી?

 

જોતીરાવ

અરે, આ બ્રાહ્મણ કર્મચારીઓના વલણને લીધે એમના ટેબલ પર એટલું બધું કામ પડ્યું રહે  છે કે એ લોકો એમાંનું થોડુક જ કામ કરી શકે છે.ફક્ત મરાઠી કાગળિયાં પર સહી કરવામાં એમના નાકે દમ આવી જાય છે. એટલે એ બાપડાને આ તમામ અનર્થોની તપાસ કરીને એ વિશે સરકારને રીપોર્ટ કરવાનો ટાઈમ જ ક્યાં છે?’આમ હોવા છતાં મેં સાંભળ્યું છે કે કોંકણના મોટા ભાગના દયાળુ યુરોપીયન કલેક્ટરોએ અજ્ઞાની શુદ્રો પર બ્રાહ્મણ જમીનદાર ખોત દ્વારા જે જુલમ ગુજારવામાં આવી રહ્યા છે એ દૂર કરવા, અજ્ઞાની શુદ્રોના પક્ષમાં ખોત વિરુદ્ધ  સરકારમાં એ વિશે કોશિશ કરી રહ્યા છે.પરંતુ એ વેળા બધા બ્રાહ્મણ જમીનદાર ખોત અમેરિકન ગુલામોના માલિકોની જેમ પોતાના સ્વાર્થી ધર્મની મદદથી અજ્ઞાની, અભણ શુદ્રોમાં સરકાર વિરુદ્ધ જુઠ્ઠાણાં  ફેલાવ્યા છે એટલે મોટા ભાગના અજ્ઞાની શુદ્રોએ યુરોપીયન કલેકટર વિરુદ્ધ સંઘર્ષ કરવાની તૈયારી કરી દીધી છે, એમણે સરકારને    કહ્યું છે કે  અમારી ઉપર બ્રાહ્મણ જમીનદાર ખોતનો અધિકાર છે એ જૈસે થે રહેવા દો .  અહીંના બ્રાહ્મણ જમીનદારોએ અજ્ઞાની અભણ શૂદ્રોને શેતાનની માફક પોતાની મુઠ્ઠીમાં જકડી રાખ્યા છે અને આપણી ભલીભોળી સરકાર વિરૂદ્ધ અભણ શૂૂદ્રો ને   ઉશ્કેરે છે. ખોતના આવા કારસાને કારણે  પરોપકારી કલેકટર પર શું ગુજરી હશે એ જો.  


ધોડીબા

 

આ રીતે અજ્ઞાની શુદ્ર બ્રાહ્મણોના ચડાવ્યા ચડી જાય છે અને પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યા  છે.આ સારી વાત નથી. આ રીતે આગળ કોઈવાર એમણે બ્રાહ્મણોના ચડાવ્યા સરકાર વિરુદ્ધ હાથ ઊંચા કરી દીધા તો એમનું ઘણું નુકસાન થશે. શુદ્રો માટે  બ્રાહ્મણોની ગુલામીમાંથી છૂટવાનો વધારે સારો મોકો મળવો   મુશ્કેલ છે. એટલે શૂદ્રોને હાથે કોઈ અનર્થ ન થઇ જાય એ માટે આપને સૂઝતું હોય તો એકવાર જઈને આપણી દયાળુ સરકારને સમજાવો.કેમકે અજ્ઞાની, અભણ શૂદ્રોને બતાવવામાં કોઈ ફાયદો નથી.જો એ પછી પણ શુદ્ર સમાજના લોકો મૂરખના  મૂરખ જ રહેવા માગતા હોય તો આપ પણ શું કરી શકો?

જોતીરાવ

 એના ઉપાય માટે મારું એમ પણ કહેવું છે કે આપણી દયાળુ સરકારે સૌથી પહેલાં બ્રાહ્મણ સમાજની વસ્તીના પ્રમાણમાં બ્રાહ્મણ કર્મચારીઓની નિમણૂક કરવી  કરવી જોઈએ,એથી વધારે નહીં. મારું એ પણ કહેવું છે કે જો એ જ રીતે વસ્તીના પ્રમાણમાં બાકીની જાતિઓના કર્મચારીઓ ન મળતા હોય તો સરકારે એમની જગાએ  ફક્ત ને ફક્ત  યુરોપીયન કર્મચારીઓની જ નિમણૂક કરવી જોઈએ. મારા કહેવાનો મતલબ  એ છે કે પછી બધા બ્રાહ્મણ કર્મચારીઓને સરકાર અને અજ્ઞાની શુદ્રોનું નુકસાન કરવાની તક નહીં મળે.બીજી વાત એ કે સરકારે ફક્ત મરાઠી સારી રીતે બોલી સમજી શકતા યુરોપીયન કલેકટરને આજીવન પેન્શન આપી અજ્ઞાની, અભણ  તમામ ગામવાસી બ્રાહ્મણોના હાથમાં રમકડાં બની ગયેલ શુદ્રો સાથે હળીમળી  રહેવા પ્રેરિત કરવા જોઈએ. એમણે બ્રાહ્મણ તલાટી વગેરે કર્મચારીઓની ચાલાકી પર કડક નજર રાખવી  જોઈએ.જેમને  પેન્શન આપવામાં આવે છે એ અધિકારીઓ પાસે નિયમિત સમયે સમયે રિપોર્ટ કરે તો સરકારી શિક્ષણ ખાતાના બ્રાહ્મણ કર્મચારીઓની લાલચુ ચાલાકીનો ભાંડો ફૂટી જશે .વળી કેટલાક વખતથી શિક્ષણ વિભાગની જે ખરાબ દશા થઇ છે એમાં સુધારો થશે. આ રીતે તમામ અજ્ઞાની શોષિત શૂદ્રોને સાચી હકીકતનું ભાન થતાં તેઓ આ બ્રાહ્મણોના કુતર્કી અધિકારોનો વિરોધ કરશે અને એ અજ્ઞાની શુદ્રો પોતાની અંગ્રેજ સરકારના ઉપકારોને કદી  ભૂલશે નહીં, મને પૂરો વિશ્વાસ છે કે આપણા શુદ્રોના ગળામાં સદીઓથી આ બ્રાહ્મણોએ બાંધેલી ગુલામીની  જંજીરો  તોડવામાં બીજા કોઈને રસ નથી.


ધોડીબા

 

તાત, આપ બચપણમાં અખાડે જતા અને દંડપટ્ટા અને નિશાન  તાકી ગોળી ચલાવવાનું શું કામ શીખતા  હતા ?

જોતીરાવ

આપણી દયાળુ અંગ્રેજ સરકારને મારી ભગાડવા.

ધોડીબા

તાત, પણ આપને  આવી દુષ્ટ સલાહ કોણે આપી?

જોતીરાવ

બે ચાર ભણેલા ગણેલા સુધારક બ્રાહ્મણ વિદ્વાનોથી માંડીને આજના સુધારાવાદી (પરંતુ ઘરના ચૂલા પાસે બીજું કોઈ ન આવી જાય એવું ઇચ્છતા) બ્રાહ્મણો સુધી બધા એ જ કારણ બતાવે છે કે “મોટા ભાગની જાતિઓના લોકો અનાદિ સનાતન ધર્મ વિશે અજ્ઞાન છે એટલે આપણી એકતા રહી નથી. આપણામાં જાતિ ઘૂસી ગઈ છે એટલે આપણે વેરવિખેર થઈ ગયા છીએ એટલે આપણું શાસન અંગ્રેજોના હાથમાં ચાલ્યું ગયું છે.” અને એ લોકો હવે આપણા અજ્ઞાની  ભલા ભોળા લોકોને જે દેશાભિમાન છે એ દૂર કરવા પોતાના કપટી ધર્મનો આધાર આપી ખ્રિસ્તી ધર્મબંધુ બનાવી રહ્યા છે.  આપણા બધા જાતિના લોકોમાં એકતા કાયમ રહેવી જોઈએ. નહિતર અંગ્રેેેજ લોકોને આપણા દેશમાંથી તગેડી મૂકવાની શક્તિ આપણા લોકોમાં આવશે નહીં,  અને તો આપણે અમેરિકા, ફ્રાન્સ અને રશિયાના લોકો સાથે બરાબરી કરી શકીએ એ કદી   શક્ય બનશે નહીં . એમણે ટોમસ પેઈન વગેરે લેખકોનાં પુસ્તકોનાં  આ ટાંચણ આપી  આ  પૂરવાર કર્યું છે. એટલે હું બચપણમાં આવું  મૂર્ખામી ભરેલું વર્તન કરતો હતો. પરંતુ જ્યારે મેં ઝીણવટથી વિચાર કરતાં એ સુધરેલા બ્રાહ્મણોની સવારથી મસલતનો સાચો અર્થ સમજાયો.આપણે સૌ શુદ્ર જો અંગ્રેજ લોકોના ગુરૂભાઈ થઈ જઈએ તો  બ્રાહ્મણોના નકલી ગ્રંથોનો ધિક્કાર કરીશું ણએ એમનું જાાટીીીઉ અભિમાન 

તોડીને ધૂળ ભેગું કરી દઈશું. આપણી શુદ્રોની મહેનતની રોટલી એમને ખાવા નહીં મળે.બ્રહ્માનો બાપ પણ દાવો નહીં કરી શકે કે શુદ્રોથી બ્રાહ્મણ ઊંચા. અરે, એ લોકોના પૂર્વજોને તો દેશભિમાન શબ્દનો અર્થ જ ખબર નહોતી , એટલે તેઓ આ શબ્દનો આવો અર્થ કરે એમાં શી નવાઈ? અંગ્રેજ લોકો  બલીરાજા થાય એ પહેલાં ગ્રીક શાળામાંથી દેશભિમાન શીખ્યા હતા, બલીરાજાના અનુયાયી થયા પછી એમનો આ સદગુણ પૂરેપૂરો વિકસ્યો. એની નારબ્રિ બીજા કોઈપણ ધર્મના અનુયાયી કરી શકે એમ નથી.એમને અમેરિકાના બલીરાજના અનુયાયી જ્યોર્જ વોશિંગ્ટનની જોડ ક્યાં મળે? જો તમે આવા મહાન નેતાની સાથે અંગ્રેજ લોકો સાથે સરખામણી ન કરવા માંગતા હો તો બલીરાજાના ફ્રેન્ચ અનુયાયી લાફાયતની જોડ ક્યાંથી મળશે એ કોઈ કૂતર્કી બ્રાહ્મણ કહેશે નહીં. જો સુધરેલા બ્રાહ્મણ વિદ્વાનોના પૂર્વજોનું દેશભિમાન સાચું હોત તો તેઓ પોતાનાં પુસ્તકોમાં પોતાના જ દેશબંધુ શુદ્રોના હાથે પાણી પીવાનું અપવિત્ર ન માનત. આ બ્રાહ્મણો પોતાને પવિત્ર મને છે અને મનુષ્યનું મળ ખાતી ગાયનું મૂત્ર પીવે છે પણ શૂદ્રના હાથે ફુવારાનું નિર્મળ પાણી પીતાં અભડાઈ જાય છે!  આ સુધરેલા બ્રાહ્મણોના પૂર્વજોના અપવિત્ર. દેશભિમાન સામે ગ્રીક લોકના દેશભિમાન આપણે કોના પ્રતાપે સમજ્યા? જેમને શુદ્રોને બ્રાહ્મણોની ગુલામીમાંથી છોડાવ્યા એ અંગ્રેજોને આ દેશમાંથી તગેડી મૂકવાની  બ્રાહ્મણ વિદ્વાનોની સલાહ કોણ માનશે? પોતાના મુક્તિદાતા પર હાથ ઉઠાવનાર કૃતઘ્ન મૂર્ખ જ હોય.

  આ સુધરેલા બ્રાહ્મણોના પૂર્વજોનું અપવિત્ર  દેશાભિમાન ગ્રીક લોકોના દેશભિમાન સામે મૂકી જુઓ.



એએને હું તને કહું છું કે અંગ્રેજ લોકો આજે છે, કાલે નહીં હોય. આપણે સર્વ શુદ્રોએ જલ્દીથી બ્રાહ્મણોની  વડીલોપાર્જિત ગુલામીમાંથી છૂટવું એમાં  મોટું શાણપણ છે. ભગવાને એકવાર શુદ્રો પર દયા કરીને અંગ્રેજ બહાદુરોને હાથે બ્રાહ્મણોનુંં બંડ દબાવી  દેવડાવ્યું છે એ સારું થયું.નહિતર , શાહ દાવલ આગળ  લિંગ પર રુદ્ર અભિષેક કરતા સુધરેેેલા બ્રાહ્મણોએ કેટલા મહારોને ધોતી પહેરવા કે કીર્તનમાં સંસ્કૃત શ્લોકનો ઉચ્ચાર કરવા  બદલ કાળા પાણીની સજા કરત.


પ્રકરણ :13

મામલતદાર, કલેકટર,રેવન્યુ,જજ અને ઇજનેરી વિભાગના બ્રાહ્મણ કર્મચારીઓ વિશે.

ધો.તાત,એનો અર્થ એ કે બ્રાહ્મણો મામલતદાર વગેરે હોવાથી અજ્ઞાની શુદ્રોને નુક્સાન પહોંચાડે છે?

જો.આજ લગી જે બ્રાહ્મણ મામલતદાર થયા છે એમાંથી ઘણા મામલતદાર એમનાં ખરાબ કરતૂતને કારણે સરકારની નજરમાં ગુનેગાર પૂરવાર થયા છે અને સજાને પાત્ર થયા છે.એ મામલતદાર કામકાજ કરતી વખતે એટલો દુષ્ટ વ્યવહાર કરતા અને ગરીબ લોકો પર એટલો જુલમ ગુજારતા કે એનું વર્ણન કરીએ તો એ કહાણીઓની એક  જુદી ચોપડી લખવી પડે.અરે, આ પૂના શહેરમાં બ્રાહ્મણ મામલતદાર કુલકર્ણી પાસેથી યોગ્યતા લખાવી લાવીએ નહીં ત્યાં સુધી મોટા મોટા શાહુકારોની અરજી સ્વીકારતા નહોતા.પછી લોકો યોગ્યતાનું પ્રમાણપત્ર લેવા લોકો ચક્કર મારતા હશે  કે નહીં? એ જ રીતે મામલતદાર  કુલકર્ણીના અભિપ્રાય વગર શહેરની મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કોઈ મકાનમાલિકને એના જૂના મકાનની જગાએ નવું મકાન બનાવવા પરવાનગી આપતા નથી, એ કુલકર્ણી પાસે શહેરનો નકશો તો હોય છે તો પણ નવી ખરીદી કરનારાનાં નામ ઉમેરી દર વરસે એની એક નકલ મામલતદારની ઓફિસમાં રાખવાનો કોઈ રિવાજ જ નથી તો એ જગા વિશે કુલકર્ણી નો અભિપ્રાય જરૂરી અને સાચો છે એ કેમ માનવું? આ બધી વાતોથી તો એવી શંકા થાય કે બ્રાહ્મણ મામલતદાર પોતાની જાતિનાં કલમકસાઈઓના રોટલા શેકે છે . ત્યારે ગામમા એમનો સખત જુલમ રહેતો હશે.જો આપણે આ વાત સાચી ન માનીએ તો ગામડાંનાં અજ્ઞાની, અભણ શુદ્રોનાં ટોળાં પોતાની બગલમાં કપડાં દબાવી બ્રાહ્મણ કર્મચારીઓનાં નામ પોકારતાં આમતેમ ફરતાં રહે છે એ શું ખોટું છે? આ લોકોમાંથી કેટલાક કહેશે "બ્રાહ્મણ કુલકર્ણીને કારણે જ બ્રાહ્મણ મામલતદારે મારી અરજી સમયસર સ્વીકારી નહીં.એટલે કેસના સામેવાળાએ મારા પક્ષના બધા સાક્ષી ફોડી નાખ્યા અને મારે જામીન આપવા પડ્યા." તો કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે મારી અરજી લીધી અને ઘણો સમય દબાવી રાખી,સામેવાળાની અરજી કાલે જ આવી તે લીધી અને મારું ચાલુ કામ અટકાવી દીધું ને મને ભિખારી બનાવી દીધો." કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે હું બોલ્યો એવુ લખ્યું જ નહીં અને પછી એ જુબાનીથી મારો ઝગડો એવો બરબાદ કરી દીધો કે હું પાગલ થઈ જઈશ." કોઈ કહે છે, " મારા સામેવાળાએ બ્રાહ્મણ મામલતદારની સલાહથી મારું બરાબર ચાલતું કામ બંધ કરાવ્યું અને મારા ખેતરમાં હળ જોતરતાં એના હાથમાં મારી અરજી આપી તો એ ચાર પાંચ ડગલાં પાછળ હટી ગયો. હું એની સામે બે હાથ જોડી દુઃખી મને થરથર ધરુજતો ઊભો રહ્યો. થોડી જ વારમાં એ દુષ્ટએ મને પગથી માથા સુધી જોઈ મારી અરજી ફટ દઈને ફેંકી દીધી એમ કહીને કે ' મેં કોર્ટનું અપમાન કર્યું છે.' એણે મને જ સજા કરી.પણ દંડની રકમ ભરવાની મારી તાકાત નહોતી એટલે મારે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું.એટલામાં મેં વાવવા તૈયાર કરેલા ખેતરમાં સામેવાળાએ વાવણી કરી દીધી, ખેતર બથાવી પાડ્યું. મેં કલેકટર સાહેબને બે ત્રણ અરજી આપી, દરેક વાતે જાણ કરી.પણ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂને ખબર નહીં ક્યાંક દબાવીને મૂકી દીધી.એનું શું કરવું?" કોઈ કહે છે, "મારી અરજી બ્રાહ્મણ કારકૂને કલેકટરને વાંચી સંભળાવી,એણે અરજીના મુખ્ય મુદ્દા હટાવી દીધા. બ્રાહ્મણ કારકૂને મામલતદારે જે લખી મોકલ્યું હતું એ જૈસે થે એણે પણ લખી દીધું." કોઈ કહે છે, "મારી અરજી પર કલેકટરે જે મૌખિક ઓર્ડર કર્યો એનાથી ઉલટો જ લેખિત ઓર્ડર કર્યો, કલેકટર આગળ એમણે જે કહ્યું હતું એમ જ ઓર્ડરમાં લખેલું છે એમ વાંચી સંભળાવ્યું., એ કાગળ પર કલેકટરની સહી લઇ લીધી ,જે કાગળ મને મામલતદાર દ્વારા મળ્યો.એ જોઈ હું દીવાલે માથું પછાડવા લાગ્યો.મેં મનમાં મેં મનમાં કહ્યું,બ્રાહ્મણ કર્મચારી તમે તમારું ધાર્યું કર્યું." કોઈ કહે છે,"જ્યારે કલેકટર સાહેબ પાસે મારી કોઈ સુનાવણી ન થઈ એટલે મેં રેવન્યુ સાહેબને બે ત્રણ અરજી મોકલી.પણ મારી એ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂનોએ કલેકટરને જ પાછી  અભિપ્રાય માટે મોકલી.કલેકટરના બ્રાહ્મણ કર્મચારીએ મારા કાગળ વિશે  ઘુમાવી ફિરાવી કલેકટરને  કહ્યું કે આ તો બહુ ફરિયાદ કર્યા કરે છે.એમણે અરજીની પાછળ કલેક્ટરનો અભિપ્રાય લખી રેવન્યુ સાહેબને ખોટી જાણકારી આપી." હવે તું જ કહે આવું કરનારાનું આપણે શું કરવું જોઈએ?
કોઈ કહે છે,"મારો કેસ શરૂ થતાં જ વકીલ વચ્ચેક બોલ્યો તો જજ કહે , "ચૂપ! વચ્ચે ન બોલો.' એમણે પોતેજ મારા કાગળ વાંચ્યા પણ કાગળનું એ બિચારા શુ કરે કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધાં બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાંના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નાનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દા'ડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં  પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે."  આમ બ્રાહ્મણો દ્વારા કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધાં બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાં ના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દાડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં  પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે." આમ બ્રાહ્મણો દ્વારા જે ત્રાસ ભોગવવો પડે છે એ વિશે મારો ભાઈ ઘેર આવીને વાત કરે છે અને રોવે છે."
એ કહે છે," તાત,અમે શું કરીએ? આ બ્રાહ્મણો અઢારે વરણના ગુરુ છે, એ લોકો પોતાને બધાના ગુરુ ગણે છે.એટલે એ જેવું પણ વર્તન કરે, શુદ્રોએ એક અક્ષર બોલવો નહીં. શુદ્રોને કોઈ ટીકા ટીપ્પણી કરવાનો અધિકાર નથી.એવું એમનાં ધર્મશાસ્ત્રો કહે  છે. ધર્મશાસ્ત્રો તો જે  કહે તે પણ અમારી પાસે આ રોગનો કોઈ ઈલાજ નથી. જો હું અંગ્રેજી બોલતાં શીખી જાઉં તો  બ્રાહ્મણોનાં કારસ્તાન, મીઠું મીઠું બોલીને ફસાવવું વગેરે બધું અંગ્રેજ સાહેબ આગળ રજૂઆત કહી દઉં અને એ લોકોને મજા ચખાડું.
એ સિવાય એન્જીનીયરીંગ વિભાગના બધા કર્મચારીઓની લુચ્ચાઈ વિશે કોન્ટ્રાકટર એટલું બધું કહે છે કે એની પર તો એક અલગ ચોપડી જ લખી શકાય.એટલે એ વાત અહીં પૂરી કરું છું.
આનો અર્થ એ કે ઉપર લખેલી બધી દલીલો જો તમને સાચી લાગે તો એ વિશે ગંભીર વિચાર કરી એનું નિરાકરણ કરવું જોઈએ.એ તમામ કુરીતિઓને સામાજિક જીવનમાંથી જડમૂળમાંથી કાઢવી જોઈએ. સરકારનો એ જ ધર્મ છે.

.

પ્રકરણ: 12

ઇનમદાર બ્રાહ્મણ , કુલકર્ણી, યુરોપિયન લોકો,કેળવણી વિભાગના મોં પર કાળો ડાઘ,યુરોપિયન કર્મચારીઓનું દિમાગ વગેરે વિશે.

ધો.તાત,પણ આપે તો અગાઉ કહ્યું હતું કે એવો કોઈ વિભાગ નથી જેમાં બ્રાહ્મણ ન હોય. એ સરકારી વિભાગ હોય કે બિનસરકારી.અને આ તમામમાં મુખ્ય બ્રાહ્મણ કોણ છે?

જો.સરકારી તલાટી વતનદાર બ્રાહ્મણ કુલકર્ણી છે અને એમની બાબતે મોટાભાગના દયાળુ યુરોપિયન કલેકટરને પૂરી જાણકારી છે.એટલે જ્યારે એમને અજ્ઞાની શુદ્રો પર દયા આવી ત્યારે એમણે સરકારને રીપોર્ટ ઉપર રીપોર્ટ કરીને બધા કાયદા મુજબ કુલકર્ણીઓને ડગલે ને પગલે કાબૂમાં કરવાની કોશિશ કરી.એમને કાનૂન દ્વારા નિયંત્રણમાં રાખી એમનું બેકાબૂ વર્તન કાબૂમાં રાખવાની  કોશિશ કરવામાં આવી.તો પણ આ કલમકસાઈઓના સ્વાર્થી ધર્મ સાથે શૂદ્રનો સંબંધ હોવાથી  શુદ્રો પર પ્રભાવ હતો.એટલે એ શેતાનની જેમ પોતાના સ્વાર્થી જૂઠા ધર્મની છત્રછાયામાં ખુલ્લેઆમ ચોરામાં બેસીને એ બલીરાજાના વિચારોની ટીકા કરીને બિચારા એ અભણ શુદ્રોના મગજને દૂષિત નહીં કરતા હોય? જો એમ ન કહીએ તો શુદ્રોને તો નથી વાંચતાં આવડતું કે નથી લખતાં આવડતું. તો પછી એ ક્યા કારણે કે કેમ સરકારને આટલી નફરત કરે છે? આ વિશે જો બીજાં કારણો ખબર હોય તો મને જરા સમજાવો.એટલું જ નહીં,એ લોકો તક જોઈ એ જ ચોરા પર બેસીને કોઈ ગેરવ્યાજબી સરકારી  કાયદા વિશે ધારદાર ટીકા નહીં કરતા હોય? શુદ્રએ સરકારને નફરત કરવી જોઈએ એના ચોરીચોરી પાઠ તો નહીં ભણાવતા હોય? અને એમના વિશે એક શબ્દ પણ આપણી જાગૃત સરકારના કાને નાખતાં શુદ્રો થથરી નહીં ઉઠતા હોય? બધી હેડ ઓફિસના કર્મચારી બ્રાહ્મણ જાતિના છે એટલે હવે તો આપણી સરકારે સંભાળવું પડશે. પહેલાં તો  દરેક ગામમાં ઇનામ આપીને  ઉપદેશકની નિમણૂંક કરવી જોઈએ.  એમને એ ગામની હકીકતો વિશે લગભગ દર વરસે એક રીપોર્ટ સરકારને મોકલવો.જો એ મુજબનો કાયદો બનાવી વ્યવસ્થા  કરવામાં આવે તો આગળ ઉપર કોઈ નાના પેશવા જેવા બ્રાહ્મણને કદી કોઈ પીરની મન્નત માંગવાની કે કોઈ શિવલિંગની યાત્રા કરીને મજેદાર ભોજન કરાવવાને બદલે ચમત્કારિક રીતે તૈયાર કરેલી રોટી ચોક્કસ સમયે ગામેગામ એક સાથે મોકલી  એ પ્રસાદ અભણ શુદ્રોને ખવડાવી સરકાર વિરુદ્ધ બળવો કરાવવાની વાત સૂઝી તો આ તલાટી વતનદાર કુલકર્ણીની એકતા જરાય કામ નહીં આવે . જો આમ ન થાય તો  બધા અભણ શુદ્રોનું અસ્તિત્વ જ નહીં રહે.એના પગ એ ધરતી પર ટકી નહીં રહે. એટલું જ નહીં જ્યારે એ યુરોપિયન ઉપદેશક બધા શુદ્રોને સાચું જ્ઞાન આપશે અને એમની આંખો ઉઘાડી દેશે ત્યારે એ લોકો આ ગ્રામરાક્ષસોને પોતાની નજીક ફટકવા પણ નહીં દે. 
બીજી વાત એ કે સરકારે પોતાના ગ્રામ કર્મચારી નોકર પટેલ પાસેથી લઈ કુલકર્ણી સુધીના લોકોનાં કામની ચકાસણી કરવી જોઈએ અને આવાં કામ માટે એક જ જાતિના કે કોઈ ખાસ જાતિના લોકોના હાથમાં સોંપવું જોઈએ નહીં. આનું પરિણામ એ આવશે કે લશ્કરની જેમ આ કામમાં કોઈ વિશેષાધિકાર જેવી વાત પેદા નહીં થાય. બલકે એની પૂરી વ્યવસ્થા થઈ જશે.અને બધા લોકોને ભણવા વાંચવા લખવાની ઈચ્છા આપોઆપ થશે.

જો જરૂર પડે તો આપણી દયાળુ સરકાર કેળવણી વિભાગનો ખર્ચ એકદમ બંધ જ કરી દે અને એ તમામ પૈસા કલેક્ટરના ખાતામાં જમા કરી દેવા જોઈએ. પછી એક યુરોપિયન કલેકટર તરફથી જારવીસ સાહેબની જેમ કોઈ પણ પક્ષપાત સિવાય તમામ જાતિઓના હોંશિયાર  વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓને પસંદ કરી એમને ખાવાની અને  લૂગડાંની થોડીઘણી વ્યવસ્થા કરી,  એમને માટે કલેકટર સાહેબના બંગલા પાસે શાળા ખોલવી જોઈએ અને એ વિદ્યાર્થીઓને પટેલ , કુલકર્ણી,પંતોજી (તલાટી , પોલીસપટેલ,ગ્રામસેવક વગેરે) ની તાલીમ આપવી જોઈએ. પછી પરીક્ષા લઈ એમને આ કામ સોંપી દેવાં જોઈએ. આનું પરિણામ એ આવશે કે એ લોકો બધા બ્રાહ્મણ કુલકર્ણી ની એકતા માટે બદનામ નાના પેશવા જેવા બ્રાહ્મણોને કામ નહીં લાગે. પણ જે લોકો અજ્ઞાની શુદ્રોને ફસાવી એમનાં ખેતર વતન હડપતા હશે,અને એ લોકોને ઝઘડા કરાવતા હશે  એમના હાથ હેઠા પડશે. આજ સુધી કેળવણી ખાતા પર જે લાખો રૂપિયાનું ખર્ચ થયેલું છે તો પણ શુદ્ર સમાજની વસ્તીના પ્રમાણમાં વિદ્વાનોની સંખ્યા વધી શકી નથી . એટલું જ નહીં, મહાર, માતંગ,ચમાર વગેરે જાતિઓનો એક પણ ભણેલો ગણેલો કર્મચારી જોવા મળતો નથી. તો અહીં બી.એ.એમ.એ.  ભણેલા લોકો તો દીવો લઈ શોધીએ તોય નહીં મળે.અરે, આપણી  આ સરકારના આટલા મોટા કેળવણી વિભાગના ગોરા ચહેરા પર આ કાળા મોંવાળા બ્રાહ્મણ પંડિતોએ કેટલો  મોટો કાળો ડાઘ લગાવ્યો છે? અરે આ કડવાં કારેલાં  આપણી સરકારે ધીમા તાપે તળી, સાકરની ચાસણીમાં ઝબોળી દીધાં તો પણ એમણે એમનો જાતિ સ્વભાવ છોડ્યો નહીં , છેવટે પણ કડવાં કારેલાંની જેમ એ કડવાં જ રહ્યા. 

ધો.તાત, આપનું કહેવું બરાબર છે.પણ આ કુલકર્ણી અભણ શુદ્રોની જમીન વતન કેવી રીતે ફાંસો નાખી હડપતા હશે?

જો. જે શુદ્રોને વાંચતાં લખતાં બિલકુલ આવડતું નથી એવા અભણ શુદ્રોને કુલકર્ણી શોધતા ફરે છે .પછી પોતે શાહુકાર થઈ એમને ગીરોખત લખાવી લે છે.એ વખતે તેઓ પોતાની જાતિના અરજનવીસ સાથે મેળ કરીને એમ એક પ્રકારની શરત લખાવી લે છે જે એ શુદ્ર ખેડૂતની વિરુદ્ધ હોય અને એ કુલકર્ણી શાહુકારના ફાયદાની હોય.પછી જે શરતો લખવામાં આવી હોય એ વાંચવામાં નથી આવતી પણ આડી અવળી વાતો વાંચી સંભળાવવામાં આવે છે.પછી આ કાગળ પર એના હાથના અંગૂઠાનું નિશાન લગાવી પોતાનું વહી ખાતું પૂરું કરી દે છે.પછી  થોડા દિવસ પછી એ શુદ્રોની જમીન મિલકત લખેલી શરતો બતાવી હડપતા હશે કે નહીં?

ધો.તાત, આપનું કહેવું બિલકુલ સાચું છે.આ લોકોની જાતિ જ કલમકસાઈની.પણ આ લોકો શુદ્રોમાં ઝઘડા કેમના કરાવતા હશે?

જો.ખેતીવાડી,જમીન મિલકત વગેરે બાબતે તહેવાર, પોળા ને હોળીને દિવસે હોળીના વાંસ કોણ પહેલા બાંધે એ વિશે શુદ્રોમાં એકબીજા વચ્ચે ઝઘડો થાય છે.એમાં બ્રાહ્મણ કુલકર્ણીઓનો હાથ નથી હોતો, એ લોકો આ ઝઘડા કરાવવામાં જવાબદાર નથી હોતા એવાં કોઈ ઉદાહરણ  તું બતાવી શકીશ?

ધો. તાત, આપની વાતનો ઈન્કાર નથી કરી શકતો.પણ શુદ્રોને એકબીજા સાથે આમ લડાવી મારવામાં આ બ્રાહ્મણ કુલકર્ણી વગેરે કલમકસાઈઓને શું મળતું હશે?

જો.અરે, જ્યારે કોઈ અભણ શુદ્રોનાં ઘર મનમાં ને મનમાં ઇર્ષ્યાની આગમાં સળગતાં હોય,   એકબીજા સાથે લડતાં રહેતાં હોય ત્યારે અંદર અંદર જ આ કલમકસાઈઓ સહિત અન્ય બ્રાહ્મણ કર્મચારીઓનાં ઘર આ આગમાં સળગીને કેમ નાશ નહીં પામ્યાં હોય? અરે, આ કલમ કસાઈઓના નારદવેડાથી ફોજદારી અને દિવાની કોર્ટનું ખર્ચ એકદમ વધી ગયું છે.અને ત્યાંના મોટા ભાગના કર્મચારી, મામલતદારથી માંડીને ગ્રામસેવક સુધી પોતાના ગાયત્રી મંત્ર સાથે બેઇમાન બની જાય છે. એ સંબંધે 'ચિરી મિરી દેવ ચિરી મિરી દેવ ' (તારી પાસે જે હોય તે આપ) આ યવની વિદેશી ગાયત્રીનો ઉપદેશ એ પવિત્ર પુરોહિતો અપનાવે છે એટલે બ્રાહ્મણ વકીલોની દલાલી બહુ વધી ગઈ છે.પછી એ બતાવો કે મોટી મોટી કોર્ટ કચેરીઓમાં બેસી જોરજોરથી હાસ્યના ફુવારા છોડતા આમ તેમ ફરતા રહે છે કે નહીં? એ ઉપરાંત મુનસિફ નવાબનો થાતસરંજામ કેટલો વધી ગયો છે  એનો હિસાબ આપ.આટલી વ્યવસ્થા હોવા છતાં ગરીબ લોકોને સમયસર સસ્તો ન્યાય મળે છે કે નથી મળતો? આને લીધે જ ગામના બધા લોકોની એક કહેવત પડી છે, કે "સરકારી ખાતામાં કોઈ કામ કરાવવું હોય તો  કામ કરનારા બ્રાહ્મણ કર્મચારીઓના હાથમાં કશું મૂક્યા સિવાય એ આપણા જેવા ગરીબોના કામને એ હાથ પણ લગાવતાં નથી.'એમની ઝોળીમાં નાખવા કંઈ ને કંઈ લીધું હોય ત્યારે જ કામ માટે બહાર નીકળો."

ધો.તાત, જો એમ જ હોય તો ગામના તમામ શુદ્રોએ યુરોપિયન કલેકટરને અંગત મુલાકાત લઈ એમની ફરિયાદ કેમ ન કરવી જોઈએ?

જો.અરે જેમને કાળા અક્ષર ભેંસ બરાબર હોય એવા ડરપોક રમકને આવા મહાન કર્મચારીઓ સામે ઊભા રહેવાની હિંમત કેવી રીતે થાય? અને આ લોકો એમની ફરિયાદ  સારી રીતે કેવી રીતે કરી શકે?આવી હાલતમાં કોઈ લંગોટ બહાદુરે કોઈ બટલર ની મદદ થી યુરોપિયન કલેકટરની અંગત મુલાકાત લઈ એની સામે ઊભા રહી એમ કહે કે ' બ્રાહ્મણ કર્મચારી સામે અમને કોઈ સાંભળતું નથી ' તો આ ચાર શબ્દ કહ્યા એવી ગંધ પણ કલમકસાઈઓને આવી જાય તો સમજી લો એના બાર વાગી ગયા. પછી એ અભાગિયાનું  નસીબ જ ફૂટી ગયું એમ જ સમજી લેવું. કેમકે એ લોકો કલેકટર કચેરીના પોતાની જાતિના બ્રાહ્મણ કર્મચારી બાબુથી માંડીને રેવન્યુના કે જજના બ્રાહ્મણ કર્મચારી સુધી બધા જ અંદર અંદર યવની ગાયત્રીની વરદી ઘુમાવી દે છે.પછી અર્ધા કલમકસાઈ તરત દરેક પ્રકારના દસ્તાવેજો સાથે પુરાવા સહિત વાદીના સાક્ષી બની જાય છે.એ લોકો ઝઘડામાં એટલી ગરબડ ઉભી કરી દે છે કે એમાં સાચું શું છે એ પારખવું મુશ્કેલ બની જાય છે.આ  સત્ય અસત્ય શોધવા મોટા મોટા વિદ્વાન યુરોપિયન કલેકટર અને જજ લોકો પોતાની બધી અક્કલ વાપરી  નાખે છે દે તો પણ એમને ગુપ્ત રહસ્યની ખબર પડતી નથી કે કંઈ સત્ય હાથ લાગતું નથી.બલકે એ ફરિયાદ કરનાર લંગોટધારીને એમ કહેતાં જરાય શરમાતા નથી  કે, 'તું જ ખોટી ખોટી ફરિયાદ કરે  છે.' એટલે છેલ્લે એના હાથમાં નારિયેળની ખાલી કાચલી આપી ફજેત કરીને ઘેર મોકલી આપે છે. છેલ્લે બ્રાહ્મણ કર્મચારીઓની આવી પ્રવૃત્તિથી કોઈ ગરીબ ખેડૂત શૂદ્રના મનમાં એ વાત આવી જ જાય કે અહીં અમારી ફરિયાદ કોઈ સાંભળવાનું નથી.એમાંથી કેટલાકે ડાકુ લૂંટારા થઈ ગયા હોય ને પોતાનો જીવ ગુમાવ્યો હશે કે નહીં? આમાંથી કેટલાયના દિમાગમાં અસંતોષની ભાવના ભડકી ઉઠી હશે અને પછી પાગલ થઈ ગયા હશે કે નહીં? ને એમાંથી કેટલાય દાઢીમૂછ વધારી અર્ધપાગલ થઈ રસ્તે જે મળે એને પોતાની ફરિયાદ સંભળાવતા ફરતા હશે કે નહીં?


પ્રકરણ: 11

પુરાણ સાંભળવાં, ઝઘડાનું પરિણામ,શૂદ્ર, સંસ્થાનિક, કુલકર્ણી, સરસ્વતીની પ્રાર્થના, જાપ, અનુષ્ઠાન, દેવસ્થાન, દક્ષિણા, મોટી અટકની સભાઓ વગેરે વિશે.

 

ધો. તાત, આ વાત સાવ સાચી છે કે આ અઢારમી મદારી બ્રાહ્મણોના ઝઘડાખોર પૂર્વજોએ આ દેશમાં આવીને આપણા આદિપૂર્વજો મૂળનિવાસીઓને હરાવ્યા. પછી  એમને ગુલામ બનાવ્યા.અને પછી પ્રજાપતિ બની ગયા. અને બધે દહેશત ફેલાવી. એમાં એમણે બહુ ધાડ મારી હોય એમ હું નથી માનતો. જો આપણા પૂર્વજોએ બ્રાહ્મણોના પૂર્વજોને હરાવ્યા હોત તો આપણા પૂર્વજો બ્રાહ્મણોના પૂર્વજોને પોતાના ગુલામ બનાવવામાં ખરેખર આનાકાની કરત? હું નથી માનતો. તાત, છોડો એ વાત.પછી જ્યારે બ્રાહ્મણોએ પોતાના એ પૂર્વજોની ધમાલને લાગ જોઈ ઈશ્વરીય ધર્મનું રૂપ આપી દીધું. આ એ નકલી ધર્મની ઓથે ઘણા બ્રાહ્મણોએ તમામ અજ્ઞાની શૂદ્રોના દિલદિમાગમાં આપણી દયાળુ અંગ્રેજ સરકાર પ્રત્યે પૂરેપૂરી નફરત પેદા કરવાની કોશિશ કરી. મતલબ એ શી વાતો હતી?

 

જો.ઘણા બ્રાહ્મણોએ સાર્વજનિક સ્થળે  બનાવી દીધેલાં હનુમાનમંદિરોએ  રાતોની રાતો  જાગી પોતાની ધાર્મિકતાનું પ્રદર્શન કર્યું. દેખાડા પૂરતું એમણે ભાગવત જેવા ગ્રંથોની વાતો અભણ શૂદ્રોને બતાવી અને એમના દિલોદિમાગમાં અંગ્રેજો પ્રત્યે નફરત ઘૃણા પેદા કરી.આ બ્રાહ્મણ પંડિતોએ એ અભણ  શૂદ્રોને મંદિરો થકી એ પઢાવ્યું કે બલીને માનનારાનો પડછાયો પણ લેવો ન જોઈએ. એમનો આવો નફરત ભરેલો  ઉપદેશ ખરેખર કારણ વગર હતો? ના, એનું ચોક્કસ કારણ હતું.બલ્કે એ બ્રાહ્મણોએ તકનો પૂરો લાભ ઉઠાવી એ ગ્રંથની બેઢંગ વાતો પઢાવી બધા અભણ શુદ્રોના મનમાં અંગ્રેજ રાજ પ્રત્યે નફરતનાં બીજ વાવ્યાં. આ રીતે એમણે દેશમાં મોટી ધમાલ પેદા કરી કે નહીં?

ધો. હા, તાત.આપનું કહેવું  સાચું છે.કેમકે આજ લગી જે ધમાલ થઈ છે એમાં અંદરથી કહો કે બહારથી,બ્રાહ્મણો  આગેવાની કરી રહ્યા ન હોય એવું બને જ નહીં. આ દ્રોહની પૂરી નેતાગીરી એ લોકો જ કરી રહ્યા હતા.જુઓ, ઉમાજી રામોશીએ કરેલ  બંડમાં કાળા પાણીની સજા ભોગવતા ધોન્ડોપંત બ્રાહ્મણનું નામ આવે છે. એ રીતે પણ પરમ દિવસના રોટી વિદ્રોહમાં પરદેશી બ્રાહ્મણ પાંડે , કોંકણના નાના પેશવા,તાત્યા ટોપે વગેરે ઘણા દેશસ્થ બ્રાહ્મણોનાં જ નામ સામે આવે છે.

જો. પરંતુ એ સમયે શૂદ્ર સંસ્થાનિક શિંદે, હોલકર વગેરે લોકો નાના ફડનીસની સાથે કેટલેક અંશે સેવકની હેસિયત હતી. એમણે આ બંડ કરનારાઓની સહેજ પણ પરવા ન કરી અને એ મુસીબતમાં આપણી સરકારને કેટલી મદદ કરી એ પણ જુઓ. આ વાતોથી આપણી સરકારને બ્રાહ્મણોના એ બળવાને વેરવિખેર કરી દેવા ભારે કરજનો બોજ વેઠવાનો વારો આવ્યો અને એ કરજ ચૂકવવા પર્વતી જેવા નકામા સંસ્થાનની આવકને હાથ લગાવવાને બદલે આપણી સરકારે કરવેરાનો બોજ કોની પર લાદયો?ગુનેગાર કોણ છે અને ગુનેગાર કોણ નથી એ જોયા કર્યા વિના જ સરકારે બધી પ્રજા પર કરવેરા લગાવી દીધા. પરંતુ આ બિચારા અભણ શૂદ્રો પાસેથી કર વસૂલ કરવા આપણી મૂર્ખ સરકારે કોને લગાવી દીધા એ વાત પણ આપણે વિચારવી જોઈએ. બ્રાહ્મણો અંદર અંદર શૂદ્ર સંસ્થાનિકોને ગાળો દેતા હતા કેમકે એમણે એમની જાતિના નાના ફડનીસને સમય પર મદદ નહોતી કરી અને અંગ્રેજો    સામેના યુદ્ધમાં એની હાર થઈ. પાછું અંગ્રેજ સરકારે એમને જ કર વસૂલીનું કામ સોંપ્યું છે જે શૂદ્ર સંસ્થનિકોને પેટ ભરીને ગાળો દેતા હતા, દિવસમાં ત્રણ વાર સ્નાન કરીને મરજાદનો ઢંઢેરો પીટનારા,ધનલાલચુ, બ્રહ્મનિષ્ઠ, બ્રાહ્મણ કુલકર્ણી હતા. અરે આ કામચોર ગ્રામરાક્ષસોને , બ્રાહ્મણ કર્મચારીઓને જે દિવસે સરકારી કામકાજની જવાબદારી સોંપવામાં આવી એ દિવસથી એમણે શૂદ્રોની કોઈ પરવા ન કરી. એક સમયે મુસ્લિમ રાજાઓએ પોતાની જાતિના મૌલાનાઓને  ગામના બધાં પશુપંખીઓનાં ગળા કાપી હલાલ કરી દેવાનો હુકમ કર્યો હતો. પણ એમની સરખામણીમાં જોઈએ તો આ બ્રાહ્મણ પંડિતોએ કલમના ગોદે શૂદ્રોની ગરદન કાપવામાં પેલા મૌલાનાઓને પાછા પાડી દીધા છે એમાં બે મત નથી. એટલે તમામ લોકોએ સરકારની પરવા કર્યા વિના આ ગ્રામરાક્ષસોને 'કલમકસાઈ' ની જે પદવી આપી છે એ પ્રચલિત છે.  આપણી મૂર્ખ સરકાર એમને બીજા કર્મચારીઓની જેમ બદલી કરવાને બદલે એમનો અભિપ્રાય લઈ અજ્ઞાન લોકો પર કરવેરા નક્કી કરવાની કારણદર્શક નોટિસ - શો કોઝ નોટીસ - તૈયાર કરે  છે. પછી એ કુલકર્ણી દ્વારા તમામ શૂદ્ર ખેડૂતોના ઘેર ઘેર પહોંચાડે છે. જો કુલકર્ણી કહે તો  એમાંથી ઘણી નોટીસ રદ કરી દે છે અને અભણ લોકો પર કરવેરા બહાલ કરી દે છે. હવે એનું શું કહીએ?

 

ધો.એનાથી કુલકર્ણીઓને અંગત ફાયદો થતો હશે કે કેમ એ તો એ જ જાણે.પણ એમને જો કોઈ ફાયદો થતો ન હોય તો પણ  આવો કાગળ મોકલી કમસેકમ ચાર આઠ દિવસ ઓફિસના ધક્કા ખવડાવતા હશે એમાં કોઈ શંકા નથી.એ એમની પર પોતાનો મોભો બતાવી કામની ઉપેક્ષા કરતા હશે. એ પછી એમને બાકી બધાં કામ બગભગતની જેમ આત્મીયતાથી કર્યા હશે. એટલે બધા અભણ નાના મોટા લોકોએ  શંકરાચાર્યની જેમ  લક્ષ્મીની સ્તુતિ કરી.'હે અમારી સરકારી સરસ્વતી માતા, તું તારા કાનૂનથી રોકે છે લાંચ ખાનારા અને એ રીતે લાચાર થઈ લાંચ દેનારને શિક્ષા કરે છે !તું ધન્ય છે!'એટલે લક્ષ્મીજી  ખુશ થયાં અને કહે છે કે એમણે ઘણા દિવસ  કુલકર્ણીઓની છત પર  પૈસાનો વરસાદ વરસાવ્યો.કેટલાકે આના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. જો આ વાત સાચી હોય તો એની પૂરી તપાસ થવી જોઈએ અને આવા કુલકર્ણીઓને પાલખી ન મળે તો કાંઈ નહીં, ગધેડાઓ પર બેસાડી ગામના રસ્તાઓ પર ફેરવવાની સજા થવી જોઈએ.

ધો. તાત, સાંભળો. બ્રાહ્મણોએ જે હિલચાલ શરૂ કરી છે એને કેટલાક બુદ્ધિમાન સજ્જનોએ બરાબર ઓળખી લીધી છે અને એ બલીરાજાના સેનાપતિને, અંગ્રેજ સરકારને,  આ ચાલબાજી જણાવી છે. તો પણ સરકાર એ પહેરેદાર ચોકીદારની આંખોમાં ધૂળ નાખીને આવા કલમકસાઈઓને રાજી કરી રહી છે.આજના બ્રાહ્મણોમાં કેટલાક એવા છે જે શૂદ્રો પર લાદવામાં આવેલા કરને પ્રતાપે મોટા મોટા વિદ્વાન થયેલા છે. પરંતુ એ  ઉપકાર માટે શૂદ્રોની પ્રત્યે કોઈ પ્રકારની કૃતજ્ઞતા પ્રગટ કરતા નથી. બલ્કે એમણે કેટલાય દિવસ મન ચાહે એ રીતે મોજમસ્તી કરી છે અને અંતે પોતાની મરજાદનો દેખાડો કરી એ સાબિત કરવાની કોશિશ કરી છે કે એમની વેદમંત્ર વગેરે જાદુવિદ્યા સાચી છે.આવી જૂઠ્ઠી વાતો એમણે શુદ્રોના દિલદિમાગમાં ઠસાવી દીધી છે.શૂદ્રો એમની પૂંછડી બની રહે એ માટે એ જાતજાતના પાસા ફેંકતા હશે. એમને શૂદ્રોની પોતાની પૂંછડી બનાવવા એમના જ મોઢે કહેવડાવ્યું હશે કે શાદાવલના લિંગ પિંડની આગળ બેસી  કે પાછળ બેસી ભાડેથી બોલાવેલા બ્રાહ્મણ પુરોહિતો પાસે અનુષ્ઠાન કરાવવાથી આ વરસે સારો વરસાદ થયો છે અને ચેપી રોગચાળો પણ ઓછો થયો છે. આ જાપ અનુષ્ઠાન માટે રૂપિયા પૈસા પણ ભેગા કર્યા. આમ એમણે જાપ અનુષ્ઠાનના છેલ્લા દિવસે બૈલ બંડી પર ભાતનો બલીરાજા બનાવી બધા અજ્ઞાની લોકોને મસમોટી જૂઠી ખબરો આપી મોટી યાત્રાઓનું આયોજન કરાવ્યું. પછી એમણે સૌથી પહેલાં તો પોતાની જાતિના  બ્રાહ્મણ પૂરોહિતોને ભરપેટ ભોજન કરાવ્યું અને પછી જે વઘ્યુંઘટ્યું તે અજ્ઞાની શૂદ્રોની પંગત બેસાડી  કોઈને મૂઠી ભાત, કોઈને દાળનું પાણી, ને કેટલાકને ખાલી રોટી પીરસી.બ્રાહ્મણોને ભોજનથી તૃપ્ત કર્યા પછી એમાંથી ઘણા બ્રાહ્મણ પુરોહિતોને એ અજ્ઞાની શૂદ્રોના દિલદિમાગ પર વેદમંત્ર જાદુનો પ્રભાવ ઠસાવવા ઉપદેશ દેવાનું ચાલુ કર્યું હોય તો એમાં અમને કોઈ શંકા નથી.પરંતુ એ લોકો એવા પ્રસંગે અંગ્રેજ લોકોને પ્રસાદ લેવા કેમ આમંત્રણ આપતા નથી?

જો.અરે, એવા પાખંડી લોકો આ રીતે ચોખાના ચાર દાણા ફેંકે અને થૂ થૂ કરીને એકઠા કરેલા બ્રાહ્મણ પુરોહિતોએ જો દરેક પ્રકારનું રુદ્ર નૃત્ય કરીને  ભોં ભોં કર્યું હોય ત્યારે એમને અંગ્રેજ બહાદુરોને પ્રસાદ આપવાની હિંમત કેવી રીતે થાય?

 

ધો.તાત, બસ, રહેવા દો. 'તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં.' આનાથી વધારે કશું કહેવાની જરૂર નથી.એક કહેવત છે ને કે 'દૂધનો દાઝયો છાશ ફૂંકી ફૂંકીને પીવે.' એમ જ આ વાત સમજી લો.

 

જો. ઠીક.સમજ પોતપોતાની, ખ્યાલ અપના  અપના. પણ આજકાલના ભણેલા ગણેલા બ્રાહ્મણો પોતાની જાદુમંત્ર વિદ્યા અને એ સંબંધી જાપ અનુષ્ઠાનનો ગમે તેટલો પ્રચાર કરે , એ મેલાને ક્લાઇ કરવાની ગમે તેટલી કોશિશ કરે અને ગલીગલી ભસતા ફરે તો પણ એમનું હવે ખાસ કાંઈ ઉપજવાનું નથી. પોતાના માલિકના ખાનદાનને સતારા કિલ્લામાં કેદ પૂરી રાખનારા નમકહરામ બાજીરાવ પેશવા જેવા હિજડા બ્રાહ્મણોએ રાતદિવસ ખેતી કરનારા શૂદ્રોની મહેનતનો પૈસો લઈ બ્રાહ્મણ સરદારોનો સરંજામ બનાવ્યો, એણે આપેલ સનદનાં કારણો જોઈ ફર્સ્ટ સૉર્ટ ટરકાંડ સાહેબ જેવા પવિત્ર નેક કમિશનરને પણ આનંદ થાય તો બીજા લોકોનું તો શું કહેવું? એમણે પર્વતી જેવાં બીજાં સંસ્થાનો  બનાવડાવી એ સંસ્થાઓમાં અન્ય તમામ જાતિઓના અંધ દુર્બળ લોકો તથા વિધવાઓનાં અનાથ  બાળબચ્ચાંની પરવા કર્યા વિના બ પોતાની બ્રાહ્મણ જાતિના ગોળમટોળ તાજામાજા આળસુ બ્રાહ્મણોને દરરોજ મિષ્ઠાન્ન ખવડાવવાની પરંપરા શરૂ કરી. એ જ રીતે બ્રાહ્મણોના સ્વાર્થી નકલી ગ્રંથોનો અભ્યાસ કરનારા બ્રાહ્મણોને દર વર્ષે યથા યોગ્ય દક્ષિણા આપવાની પણ શરૂ કરી. પરંતુ ખેદ એ વાતનો કે બ્રાહ્મણોએ જે પરંપરાઓ શરૂ કરી છે તે  ફક્ત ને ફક્ત પોતાની જાતિના સ્વાર્થ માટે જ છે. આ બધી પરંપરાઓ અંગ્રેજ સરકારે જેમ છે તેમ હજી સુધી ચાલુ રાખી છે. એમ આપણને એ કહેવામાં શુ વાંધો હોઈ શકે કે આમ કરીને  એમણે પોતાની પક્વતા અને રાજનીતિને મોટો બટ્ટો લગાડ્યો છે. આવા ખોટા ખર્ચાથી બ્રાહ્મણો સિવાય બીજી કોઈ જાતિને કોઈ ફાયદો નથી.બલ્કે સાચું કહીએ તો એ તો હરામનું ખાઈ મસ્તી કરતા આખલા છે.અને એ અભણ શૂદ્ર દાતાઓને પોતાના ચૂડેલધર્મના ગંદા પાણીથી પોતાના પગ ધોવડાવી એ જ પાણી પીવડાવે છે. અરે, કર્મનિષ્ઠ બ્રાહ્મણોના પૂર્વજોએ પોતાનાં જ ધર્મશાસ્ત્રો અને મનુસ્મૃતિનાં કેટલાંક વાક્યોનાં કાજળ ઘસી  કેવાં કેવાં બૂરાં કર્મ કર્યા છે! પરંતુ હવે તો એમને ભાન થવું  જોઈએ અને આ કામ માટે આપણી ભોળી સરકારે એમનુંC કશું સાંભળવું ન જોઈએ. અને પર્વતી જેવાં સંસ્થાનોમાં આ સ્વાર્થી બ્રાહ્મણોમાંથી કોઈને પણ શુદ્રોના પરસેવે પાકતી રોટી ખવડાવવી ન જોઈએ. એ માટે એક જબરદસ્ત સાર્વજનિક બ્રાહ્મણસભાની સ્થાપના કરી એની મદદથી આની પર નિયંત્રણ કરવું જોઈએ.જેથી એમના ગ્રંથોનો કઈં ને કઈં પ્રભાવ  પુર્નલગ્ન ઉત્તેજક મંડળ પર પડે એ જ અમારી ભાવના હતી. પરંતુ એમણે આ રીતની મોટી મોટી અટકોની સભાઓ સ્થાપીને  પોતાની આંખોનો મોતિયો ઉતારવાનું તો મૂકી દીધું અને અજ્ઞાની સરકારની આંખોના દોષ બતાવવાની કોશિશ કરી રહ્યા છે. ઉલટો ચોર કોટવાળને દંડે. મહારાષ્ટમાં કહેવત છે કે 'લંગડી ગાય ને પાદરમાં ગોચરમાં ચરવા ન જાય.'  આપણા અજ્ઞાની શૂદ્ર ભાઈઓની બલીરાજા સાથે ગાઢ દોસ્તી હોવી જોઈએ એ માટે  કોશિશ કરવી જોઈએ.અને એ બલીરાજાની મદદથી  ગુલામીની સાંકળો તોડી નાખવી જોઈએ. બ્રાહ્મણોની ગુલામીથી શૂદ્રોને મુક્તિ અપાવવા અમેરિકન, સ્કોચ અને અંગ્રેજ ભાઈઓ સાથે જે દોસ્તી થવાની છે એમાં કોઈએ ટાંગ અડાડવાની કોશિશ કરવી ન જોઈએ. હવે એમની ખટપટ બહુ થઈ. ધિક્કાર હજો મફતની રોટલી ને વરણ ભાતનો.

 

ઉમાજી રામોશી,શૂદ્ર  જાતિમાં જન્મેલા લડવૈયા શહીદ.

દેશસ્થ, મહારાષ્ટ્રના બ્રાહ્મણોમાંની એક પેટા જાતિ

પર્વતી, પૂનાનું એક દેવસ્થાન. જેની પૂજાની  આવક ફક્ત બ્રાહ્મણો માટે જ ખર્ચાતી હતી . અહીં બ્રાહ્મણો માટે હંમેશા ભોજન ચાલુ રહેતું અને નિયમિત દક્ષિણા આપવામાં આવતી..

પ્રકરણ: 10

બીજો બલીરાજા, બ્રાહ્મણ ધર્મની ફજેતી,શંકરાચાર્યની બનાવટી વાતો, નાસ્તિક માન્યતા, નિર્દયતા, પ્રાકૃત ગ્રંથકર્તા,કર્મ અને જ્ઞાનમાર્ગ, બાજીરાવ પેશવા,મુસ્લિમો પ્રત્યે નફરત અને અમેરિકન તથા સ્કોચ ઉપદેશકોએ બ્રાહ્મણોના કૃત્રિમ કિલ્લાની દીવાલો તોડી નાખી વગેરે વિશે.

ધો.તાત, હવે તો હદ થઈ ગઈ.કેમકે આપે શિવાજીના પંવાડા ની પ્રસ્તાવનામાં એ લખ્યું હતું અને સાબિત કર્યું હતું કે ચાર ઘરની ચાર ગ્રંથકર્તા બ્રાહ્મણ છોકરીઓએ મળીને ઘરની કોટડીમાં બેસી જૂઠ અને છેતરપિંડીની રમત રમી.

જો.પરંતુ આગળ એક દિવસ દલિતોનો દાતા, સમર્થક,મહાપવિત્ર, સત્યજ્ઞાની,સત્યવક્તા બલીરાજા આ દુનિયામાં પેદા થયો. ત્યારે એણે આપણને સૌને પેદા કરનારા મહાપિતાનો ઉદ્દેશ્ય જાણી લીધો.નિર્મિક(નિર્માણ કરનાર ઈશ્વર) દ્વારા આપવામાં આવેલા સત્યમય પવિત્ર વર્ણન અને અધિકાર ભોગવવા સૌને સમાન તક મળે એ માટે જ્યારે એ બલીરાજાએ પોતાના દીન દુર્બળ શોષિત ભાઈઓને બધા બ્રાહ્મણોની- બનાવટી, દુષ્ટ, ધૂર્ત,સ્વાર્થી બહેલિયાઓની - ગુલામીમાંથી મુક્ત કરી ન્યાય પર આધારિત રાજની સ્થાપના કરી . આમ એક રીતે જોવા જઈએ તો એણે 'અલા બલા જાઓ, બલીનું રાજ આવો' એવી આપણી વડીલ નારીઓની  આકાંક્ષાને અમુક હદ સુધી પૂરી કરી એમ કહી શકાય.તાત, જ્યાં મિસ્ટર ટોમ પેન્સ જેવા મોટા મોટા વિદ્વાનોના પૂર્વજ આ બલીરાજાના પ્રભાવમાં આવી પોતાની પાછળની બલાઓ દૂર કરી સુખેથી જીવન પસાર કર્યું.

છેવટે જ્યારે બલીરાજા ઈસુ મસીહાને ચાર દુષ્ટ લોકોએ શૂળી પર ચડાવ્યો એ સમયે આખા યુરોપમાં ધમાલ મચી ગઇ. કરોડો લોકો એના અનુયાયી બની ગયા અને એ પોતાના નિર્મિકના શાસન મુજબ આ દુનિયામાં એનું જ શાસન સ્થપાય એ માટે સતત કોશિશ કરતા રહ્યા. 

જયારે આપણા વિસ્તારમાં   સ્વસ્થ વ્યવસ્થિત વાતાવરણ સ્થપાયું ત્યારે ત્ ઘણા શાણા અને તેજસ્વી બલીઓએ (વિદ્વાનોએ) ઘરની કોટડીમાંની નાદાન છોકરીઓના જૂઠ અને ફ્રરેબના ખેલને ખેદાનમેદાન નાખ્યો. શાક્યમુનિ જેવા સત્પુરુષે બ્રાહ્મણોને વેદમંત્ર અને જાદુમંત્ર ચમત્કારથી મુક્ત કર્યા અને પોતાના અનુયાયી બનાવ્યા.પશુઓનો બલિ ચડાવી ઉત્સવને બહાને બ્રાહ્મણો ગોમાંસ ખાતા હતા.ઘમંડી, પાખંડી,સ્વાર્થી, દુરાચારી બ્રાહ્મણો જેમના ગ્રંથોમાં જાદુમંત્રો સિવાય કશું નહોતું એ ગ્રંથો પર બુદ્ધે  મેંશ ચોપડી, એટલે કે એ ગ્રંથોને નકાર્યા ત્યારે મોટાભાગના બ્રાહ્મણો હોશમાં આવ્યા.એમાંથી વધ્યાઘટયા કૂતર્કી બ્રાહ્મણો કર્ણાટક ભાગી ગયા.એ લોકોનો શંકરાચાર્ય નામનો વિતંડાવાદી મહાપંડિત પેદા થયો.એ બ્રાહ્મણવાદી પંડિતે જ્યારે જોયું કે એના બ્રાહ્મણોની દુષ્ટ કર્મની  ધૂર્તતાને લીધે નિંદા થઈ રહી છે,થૂ થૂ થઈ રહી છે, બુદ્ધના ધર્મનો ચારેકોર પ્રસાર થઈ રહયો છે અને બ્રાહ્મણોનો ધંધો પેટ પૂરવા પૂરતો પણ  ચાલતો નહોતો. એટલે એણે નવી જ બ્રહ્મજાળ શોધી કાઢી.જે દુષ્ટ કર્મોને કારણે એના વેદ સહિત બધા ગ્રંથોનો બૌદ્ધ જનતાએ વિરોધ કર્યો હતો એનો શંકરાચાર્યે ઊંડો અભ્યાસ કર્યો અને બૌધ્ધોએ જે વાતે બ્રાહ્મણોની ટીકા કરી હતી એમાંથી ફક્ત ગોમાંસ ખાવું અને દારૂ પીવો એ બેની   જ  મનાઈ કરી. પરંતુ પછીથી એણે પોતાના બધા ગ્રંથોમાં ફેરફાર કરી એ બધાને મજબૂત કરવા એક નવા મત-વાદની સ્થાપના કરી જેને શંકરાચાર્યનો વેદાંતનો જ્ઞાનમાર્ગ કહે છે. એ પછી એણે જુદી જુદી જગાએ મઠ સ્થાપી  શિવલિંગની સ્થાપના કરી. આ દેશમાં આવેલા તુર્કને ,ક્ષત્રિયોમાં,  હિંદુઓના એક વર્ણમાં સમાવી દીધા.એ પછી જેમ મુસલમાનોએ તલવારના જોરે ઇસ્લામ ચલાવ્યો એમ એણે તલવારના જોરે બૌધ્ધોને હરાવ્યા.એણે બૌધ્ધોને ઘાણીએ ઘાલી મોતને ઘાટ ઉતાર્યા એટલું જ નહીં બૌધ્ધોના અનેક મૌલિક અને સારા સારા  ગ્રંથો બાળી દીધા.માત્ર અમરકોશ પોતાના ઉપયોગ સારુ બચાવ્યો.એ પછી ફરીથી પોતાની જાદુમંત્ર વિદ્યા અને ભાગવતની નકામી પુરાણ કથાઓ અજ્ઞાની શુદ્રોના દિલદિમાગ પર લાદી દીધી.  શંકરાચાર્યના એ ડરપોક ચેલા ધોળે દિવસે મશાલો ચેતવી પાલખીમાં બેસી માથે ટકો. કરાવી પવિત્રતા ઓઢતી વિધવા સ્ત્રીઓની જેમ હાહાહીહી કરતા, નાચતા કૂદતા આમતેમ ફરવા લાગ્યા. આમ બ્રાહ્મણોને નાગા થઈ નાચવાની પૂરી આઝાદી મળી ગઈ.

આ સમયે મુકુંદરાજ, જ્ઞાનેશ્વર, રામદાસ વગેરે પાયલીના પંદર ને અધેલીના સોળ ગ્રંથકારો થઈ ગયા.પણ એ બ્રાહ્મણ ગ્રંથકારોમાંથી કોઈ માઇના લાલે શુદ્ર અતિશુદ્રના ગળામાં બાંધેલી ગુલામીની સાંકળ તોડવાનું સાહસ ન કર્યું. કેમકે એમનામાં એ બધાં દુષ્ટ કર્મોને ખૂલેઆમ છોડવાની હિંમત નહોતી એટલે એમણે એ બધાં દુષ્ટ કર્મોને કર્મમાર્ગ અને નાસ્તિક મતનો જ્ઞાનમાર્ગ એમ બે ભાગમાં વહેંચ્યા અને એની ઉપર ઘણા પાખંડી અને નકામા ગ્રંથો લખી નાખ્યા.આમ એમણે જીવ પર આવી જઈ પોતાની જાતિના સ્વાર્થનું રક્ષણ કર્યું અને અજ્ઞાની શુદ્રોને લૂંટયા, પોતાની જાતિને બહુ ખવડાવ્યું પીવડાવ્યું. પણ પછી તો એમણે પૂરી લાજશરમ  મૂકી દીધી. રોજ રાતે જે દુષ્કર્મ ન કરવાં જોઈએ એ પણ કરવા લાગ્યા.

બાજીરાવ પેશવા રાતે રંગરાગ અને  ભોગવિલાસમાં રાચતો પણ બપોર થાય ત્યાં સુધી પછી બ મુસલમાનનું મોં ન જોવું પડે એ માટે , માસિક આવતું હોય એ સ્ત્રી ઘરનો ખૂણો પાળે એવી સ્ત્રીની જેમ એમ બેસી રહેતો.

પરંતુ હવે કાળે પડખું બદલ્યું. આજની સાંજ અને કાળની સવાર વચ્ચેના સમયે એટલેકે રાતના સમયે આ બધા બ્રાહ્મણોને ભોગવિલાસ ને તાગડધિન્ના માટે સગવડો મળતી હતી ત્યાં જ અંગ્રેજ બહાદુરોનો ઝંડો ચારેકોર ફરકવા લાગ્યો.એ સમયે બલીરાજાના મોટા ભાગના અનુયાયીઓ, અમેરિકન અને સ્કોચ મિશનરી ધર્મ ઉપદેશકો, એમના પોતાના દેશની સરકારોની કોઈ સાડાબારી વગર આ દેશમાં આવ્યા. બલીરાજાએ જે સાચો ઉપદેશ આપ્યો હતો એને બધા નકલી, દુષ્ટ,ધૂર્ત બ્રાહ્મણોને પૂરાવા સાથે બતાવ્યો.એમણે કેટલાય શુદ્રોને બ્રાહ્મણોની અત્યંત અમાનવીય ગુલામીમાંથી છોડાવ્યા.એમણે શુદ્ર અતિશુદ્રના ગળામાં સદીઓથી ભેરવાયેલી ગુલામીની બેડીઓ તોડીને એ બ્રાહ્મણોના મોઢા પર મારી. બધા બ્રાહ્મણો પાકું સમજી ગયા કે ખ્રિસ્તી ઉપદેશક  બ્રાહ્મણોનો પ્રભાવ શુદ્ર અતિશુદ્ર પર ટકવા નહીં દે અને એમના ઢોલનું પોલ ખોલી નાખશે.એ ડરને કારણે એમણે બલીરાજાના ઉપદેશકો અને શુદ્રો વચ્ચે કોઈ કડી સ્થપાય કે તેઓ હળેમળે, બંને વચ્ચે પરિચય ગાઢ થાય એ પહેલાં જ બલીરાજાના ઉપદેશકો અને અંગ્રેજ સરકારને આ દેશમાંથી  કાઢી મૂકવાના ઈરાદાથી જાતજાતની તરકીબો અજમાવી. ઘણા બ્રાહ્મણોએ  સરકાર માટે  ઘૃણા અને નફરત જાગે એ માટે પોતાની ખાનદાની પાખંડી મંત્રવિદ્યાની મદદથી શૂદ્રને ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. બીજી બાજુ બ્રાહ્મણોએ વિદ્યા પ્રાપ્ત કરી અને કેટલાક  કારકુન કે બીજા પદે સરકારી નોકરીમાં લાગી ગયા. આમ બ્રાહ્મણોએ જાતજાતનાં સરકારી કામ અપનાવી તમામ પ્રકારની સરકારી નોકરી મેળવી.અંગ્રેજ સરકારની ઓફીસ અને ઘર, બંનેમાં એકેય કામ એવું નહોતું જેમાં બ્રાહ્મણ ના હોય.



પ્રકરણ :16

બ્રહ્મરાક્ષસની પીડાને ધિક્કાર ધો.આપણા આ બધા સંવાદથી એમ સાબિત થઈ છે કે બધા બ્રાહ્મણ પોતાના કૃત્રિમ ધર્મની આડે આપણી ભોળી સરકારની આંખમાં ધૂળ ના...